બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ઝંઝાવાતી પ્રચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:15:49
  • Views : 494
  • Modified Date : 2019-04-20 05:15:49

લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબતભાઈ પટેલના સમર્થનમાં બનાસકાંઠાના દિયોદર, પાંથાવાડા અને પાલનપુરના પ્રવાસે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જંગી જનસભાઓ સંભોધી હતી.પાલનપુર ખાતે વિશાળ  જનમેદની અને કાર્યકરોને સંબોધતા તેમણે જણાવ્યું કે, આ વખતની ચૂંટણીએ કોઈ સામાન્ય ચૂંટણી નથી પરંતુ દેશહિત, દેશની સલામતિ, રાષ્ટ્રની સુરક્ષા, વિકાસ, આપણી ભવિષ્યની પેઢીનું ભવિષ્ય કોણ ઉજવળ કરશે તેના માટે ખુબ મહત્વની ચૂંટણી છે. એક તરફ ખુબ જ ઈમાનદારીથી શાસન કરતા, કાળા બજારીઓ, દેશ વિરોધી તત્વો સામે મોરચો માંડનાર નરેન્દ્રભાઈ મોદી છે જયાં પરિશ્રમની પરાકાષ્ઠા છે. દિલ્હીમાં વચેટીયાઓની દુકાનો બંધ થઈ ગઈ છે. બીજી તરફ ચોરોની જમાત છે અને બેશરમીની હદ છે કે ચોરજ શોર મચાવી રહ્યા છે કે ચોકીદાર ચોર છે. તેમની હિંમત તો જુઓ સુપ્રિમ કોર્ટને સમન્સ કાઢવું પડ્યું છે કે અમારા નામે જુઠી વાતો ન ફેલાવો. ચોરોની આ જમાતમાં લાલુ પ્રસાદ ગાયોના ઘાસચારામાંથી કરોડો ખાઈ ગયા, મમતા બેનર્જી બાંગ્લાદેશીઓને મત માટે બેરોકટોક દેશમાં ઘુસાડી રહ્યા છે અને બંગાળને કંગાળ કરી દીધુ છે. એવાજ માયાવતી છે ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી હતા અને ભ્રષ્ટ્રાચારની બધીજ સીમાઓ વટાવી દીધી હતી. મુલાયમસિંહ યાદવ છે જેમના રાજમાં ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાનું નામો નિશાન મટી ગયુ હતું. ભારતીય જનતા પાર્ટીએ યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશનું સુકાન સોંપીને રાજયને બેઠુ કરવા મથામણ કરી છે. કેન્દ્રમાં મનમોહનસિંહની સરકાર હતી તેમના એક ડઝન મંત્રીઓને જેલમાં જવું પડ્યું હતુ. ત્યારે ટુજી, થ્રીજી, કોલસાની દલાલી, કોમન વેલ્થ ગેમ વિગેરેમાં કૌભાંડોની હારમાળા ઉભી થઈ ગઈ હતી. આ બધા પાંચ વર્ષમાં સત્તા વગર તરફડીયા મારે છે પણ હવેના પાંચ વર્ષના નરેન્દ્રભાઈના શાસનમાં જેલમાં જશે તે નક્કી છે. આ પ્રસંગે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ શીવરામભાઈ ફોસી, કાણોદરના સરપંચ જહીરભાઈ ચૌધરી, ડેપ્યુટી સરપંચ કમલેશભાઈ પંચાલ, સામાજિક આગેવાન કૌશરભાઈ સુણસરા, આંતરોલીના સરપંચ પ્રભાતસિંહ ચૌહાણ, માલણનાસરપંચ જે.ડી.પરમાર, ભટામલ મોટીના સરપંચ નરસિંહભાઈ એદલીયા, રાજપુર સરપંચ બાબુલાલ રણાવાસીયા, ખરોડીયા સરપંચ દલજીજી મકવાણા, પૂર્વ નગરસેવક પ્રતાપભાઈ માળી, સાગરભાઈ માળી, દિનેશભાઈ માળી, કોંગ્રેસના જિલ્લા મંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઈ ભાટીયા, દુર્ગેશભાઈ આચાર્ય, પાલનપુર શહેર કોંગ્રેસ ઉપાધ્યક્ષ હરેશભાઈ પટેલ, રંજનબેન પરમાર, ધનરાજભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી, ગલબાભાઈ ચૌધરી, કિર્તીભાઈ પરમાર તેમના ટેકેદારો સહિત કોંગ્રેસનો હાથ છોડીને મુખ્યમંત્રીના વરદહસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે યશવંતભાઈ બચાણી, લાલજીભાઈ પ્રજાપતિ, ગીરિશભાઈ જગાણીયા, હરેશભાઈ જાની, માધુભાઈ રાણા, કુમુદબેન જાષી અને રાણાભાઈ દેસાઈએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબતભાઈ પટેલનવે જંગી બહુમતીથી ચુંટી મોકલવા અપીલ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ, પૂર્વ મંત્રી કાન્તિભાઈ કચોરીયા, પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેશા, પ્રદેશ કિસાન મોરચા મહામંત્રી ફલજીભાઈ ચૌધરી, શહેર પ્રમુખ મુન્નાલાલ ગુપ્તા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ ઠાકોર, ઉપપ્રમુખ હેતલબેન રાવલ, ડો.ગણેશભાઈ પટેલ, ગણપતભાઈ જાષી, યુવા મોરચા પ્રમુખ હરેશભાઈ ચૌધરી, મહિલા મોરચા પ્રમુખ મીતાબેન સોની, અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ભરતભાઈ પરમાર, પૂર્વ જિલ્લા પ્રમુખ વિજયભાઈ ચક્રવર્તી, દોલતપુરી ગૌસ્વામી, રામચંદભાઈ પટેલ ગોવિંદા, પાલનપુર શહેર રાજપૂત સમાજ પ્રમુખ અમરસિંહ ચૌહાણ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ હર્ષાબેન મહેશ્વરી, હસમુખભાઈ પઢીયાર, નિલમબેન જાની, દલપતભાઈ બારોટ, અતુલભાઈ જાષી, મોતીભાઈ પાલજા, વિરસંગભાઈ ચૌધરી, કારોબારી ચેરમેન દશરથસિંહ સોલંકી સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત  રહ્યા હતા.  


Download Our B K News Today App



Related News