વડગામ તાલુકાના સકલાણાથી વરણાવાડા રોડ વચ્ચે બાવળ પડતાં વાહન વ્યવહાર ખોરવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-25 11:51:03
  • Views : 545
  • Modified Date : 2019-06-25 11:51:03

વડગામ તાલુકામાં આવેલી વન વિભાગની કચેરીની આડોડાઈનો ભોગ ચોમાસામાં વડગામની જનતા બની રહી છે છતાં પણ વન વિભાગના કર્મચારીઓના પેટનું પાણી પણ હાલતું નથી.
વડગામથી વાયા સકલાણા થઇને વરણાવાડા જવાના માર્ગ ઉપર સોમવારના સવારે જ એક મહાકાય બાવળ રોડ વચ્ચે ધરાશયી થતાં સદનસીબે કોઇ વાહન ન હોવાથી મોટી દુર્ઘટના બનતી અટકી હતી. પરંતુ સવારના રોડ ઉપર પડેલા બાવળના વૃક્ષના કારણે રોડ બંધ થઈ જવા પામ્યો હતો. વડગામથી વાયા ધોતા સકલાણા થઈને વરણાવાડા જવાનો રસ્તો જ બંધ થઈ ગયો હતો. જેના કારણે આખો દિવસ વાહન વ્યવહાર ખોરવાયો હતો. તમામ વાહનોને અધ વચ્ચેથી જ પાછા ફરવાની ફરજ પડી રહી હતી. વાહનચાલકો પણ
પરેશાન થઈ રહ્યા હતા. વરણાવાડા લોકોને વડગામ આવવા જવા માટે પણ તકલીફ સહન કરવી પડી રહી હતી. વનવિભાગ સત્તાધીશો દ્વારા ચોમાસા પહેલાં રોડની સાઈડમાં ઉભેલા વૃક્ષોના ઉપરના ફાલ તેમજ કટીંગ કરવાનું હોય છે. જેના કારણે ચોમાસામાં વરસાદના કારણે રોડ પર વૃક્ષો પડતાં અટકાવી શકાય તેમજ કોઈ ઘટના પણ બનતી અટકી શકે. પરંતુ વડગામમાં વન વિભાગના સત્તાધીશો કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યા હોય તેવો અહેસાસ વડગામના લોકોને થઈ રહ્યો છે. વડગામમાં પડેલા વરસાદના કારણે વડગામ વરણાવાડા રોડ ઉપર તેમજ વડગામથી મેમદપુર જવાના માર્ગ પર બાવળના વૃક્ષો રોડ વચ્ચે પડતાં અનેક વાહનચાલકોને હાડમારીઓ વેઠવી પડી હતી. પરંતુ જેની જવાબદારી  છે તે વન વિભાગના કર્મચારીઓ ગોત્યાપણ વડગામમાં જડતા નથી અને રોડ વચ્ચે પડેલા વૃક્ષોને હટાવાતા ન હોવાથી ના છૂટકે લોકોને રસ્તો Âક્લયર કરવો પડે છે. ત્યારે કલેકટર દ્વારા વન વિભાગના કર્મચારીઓને પોતાની ફરજોનું ભાન કરાવાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

Download Our B K News Today App



Related News