RSSના પ્રાંત પ્રચારક રહેલા તીરથ સિંહ રાવતને CM ચૂંટવામાં આવ્યા, સાંજે 4 વાગ્યે શપથ લેશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 14:58:35
  • Views : 307
  • Modified Date : 2021-03-10 14:58:35

    ઉત્તરાખંડમાં છેલ્લા 3-4 વર્ષથી ચાલી રહેલો રાજકીય ડ્રામા બુધવારે પુરો થઈ ગયો છે. પૌડી લોકસભા સીટથી સાંસદ તીરથ સિંહ રાવતને રાજ્યના નવા મુખ્યમંત્રી ચૂંટવામાં આવ્યા છે. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મુહર લાગી છે. એક દિવસ પહેલા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપનાર ત્રિવેન્દ્ર સિંહ રાવતે જ તેમના નામની જાહેરાત કરી છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, તીરથ સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે.

    તીરથ સિંહ રાવત 9 ફેબ્રુઆરી 2013થી 31 ડિસેમ્બર 2015 સુધી ઉત્તરાખંડ ભાજપના ચીફ રહ્યાં છે. આ પહેલા ચૌબટખલ વિધાનસભા થી 2012થી 2017માં જીત્યા હતા. હાલમાં તે ભાજપના નેશનલ સેક્રટરી છે. તેમનો જન્મ પૌડી ગઢવાલ જિલ્લામાં થયો હતો. આ પહેલા ઉત્તરપ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ પણ રહ્યાં છે. 1997માં યુપીથી ધારાસભ્ય પણ રહ્યાં છે. તે ઉત્તરાખંડના પ્રથમ શિક્ષામંત્રી રહ્યાં છે. વર્તમાનમાં તેે પૌડી લોકસભા સીટમાંથી સાંસદ છે.રાજીનામુ આપ્યા પછી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપે નાના ગામના કાર્યકર્તાઓનું મોટું સમ્માન આપ્યું. 4 વર્ષ મને સેવા કરવાની તક આપી છે. પાર્ટીએ સામુહિક રૂપથી નિર્ણય લીધો છે કે મારે હવે બીજા કોઈને તક આપવી જોઈએ.

    રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા હરીશ રાવતે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ પણ માન્યું છે કે હાલની સરકાર કઈ કરી શકી નથી. હવે હું રાજ્યમાં સત્તામાં ફેરફાર દેખી રહ્યો છું. કોઈ ફરક નથી પડતો કે કોને લાવીશું. 2022માં ભાજપ સત્તામાં આવવાની નથી.પાર્ટીના નારાજ ગ્રુપનું કહેવું હતું કે જો ત્રિવેન્દ્ર સિંહ રાવત મુખ્યમંત્રી રહ્યાં તો આગામી વર્ષે થનારા વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. એટલે સુધી કે પાર્ટી સત્તામાંથી બહાર પણ થઈ શકે છે. પાર્ટીના સુપરવાઈઝરે 6 ફેબ્રુઆરીએ દેહરાદુન જઈને પાર્ટીના ધારાસભ્યો સાથે વાત કરી હતી. 7 ફેબ્રુઆરીએ બંને દિલ્હી પરત આવ્યા હતા અને પોતાનો રિપોર્ટ પાર્ટી અધ્યક્ષને આપ્યો હતો.



Download Our B K News Today App



Related News