સિદ્ધપુરના તાવડીયા રોડ ઉપરથી પ્લાસ્ટિકની બોટલમાં ભરીને ફેંકી દીધેલા 13 ભૃણ મળ્યા, 'માનવતાની હત્યા'નો વધુ એક કિસ્સો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-22 12:20:45
  • Views : 470
  • Modified Date : 2021-07-22 12:20:45

    મહીસાગરમાં ગેરકાયદેસર ગર્ભપાતની ઘટના સામે આવ્યા બાદ પાટણ જિલ્લાના સિદ્ધપુરના તાવડીયા ગામ નજીકથી પ્લાસ્ટિકના ડબ્બામાંથી માનવ ભૃણ મળી આવ્યા છે. સિધ્ધપુરથી તાવડીયા વાધણા જવાના માર્ગ પર કોઈ ગાયનેક તબીબ દ્વારા 13 જેટલી બરણીઓમાં માનવ ભૃણના અવશેષો મળતાં ચકચાર મચી છે. પ્લાસ્ટીકની બોટલોમાં પ્રસુતીગૃહ કે હોસ્પિટલમાં ડિસ્પ્લેમાં મુકવાના અવશેષોને સરકારના નિયમો મુજબ ડિસપોઝ કરવાના બદલે આ બરણીઓને ખૂલ્લામાં ફેકવાના કારણે ચકચાર મચી જવા પામી છે. તાજેતરમાં મહીસાગરના સંતરામપુરમાં ધોળે દિવસે ગેરકાયદેસર ગર્ભપાતના વીડિયો વાયરલ થયા બાદ સિદ્ધપુરમાંથી ભૃણ મળી આવતા ચકચાર વ્યાપી છે. આ ભૃણ હત્યા છે કે પછી કોઈ હૉસ્પિટલનો વેસ્ટ છે તે અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.

    આ ઘટના અંગે ગ્રામ પંચાયતના સદસ્ય અલ્પેશ ઠાકોરે કાકોશી પોલીસ મથકે તેમજ આરોગ્ય વિભાગને જાણ કરતાં આરોગ્ય વિભાગ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને માનવઅંગો કબજે લઇ એફએસએલમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.
સિદ્ધપુરના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકીએ જણાવ્યું કે, કાકોશી પોલીસ સ્ટેશનમાં બપોરે ફોન દ્વારા પાણીના વહોળાવાળી જગ્યામાં માનવઅંગોનો મેડિકલ વેસ્ટ પડેલો હોવાની જાણકારી મળતાં આરોગ્ય વિભાગનો મામલો હોઇ તાલુકા હેલ્થ ઓફિસર અને એફએસએલ ટીમને બોલાવી પરીક્ષણ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં જે જણાઈ આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.આ ઘટનાને લઈને તાવડિયા સહિત આજુબાજુના ગામોમાંથી લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. જોકે, આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય સાથે તબીબોની બેદરકારીને લઈ ગ્રામજનોમાં ફિટકારની લાગણી જોવા મળી હતી. આ ઘટનાને લઈને ગ્રામપંચાયતના સદસ્ય અલ્પેશજી ઠાકોર દ્વારા કાકોશી પોલીસ મથકે તેમજ આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને લઈને આરોગ્ય વિભાગ અને કાકોશી પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. 13 જેટલી બરણીઓમાં માનવ ભૃણ (ફિટસ) અને ગર્ભાશયની ગાંઠો ફેંકી દેવાયેલી હાલતનાં મળી આવતાં પોલીસે તપાસ આરંભી છે અને ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

    સિદ્ધપુર તાલુકા આરોગ્ય અધિકારી ડો. રેખાબેન નાયકે જણાવ્યું કે, સ્થળ તપાસ કરતાં અલગ- અલગ 13 ડબ્બા મળી આવ્યા છે, જે એફએસએલમાં મોકલી આપવામાં આવશે. તેમાં એક ભ્રૂણ જોઈ શકાય છે, પરંતુ બીજા અંગો શું છે તે સ્પષ્ટ થઈ શકતું નથી. આ પાર્ટ્સ શું છે તે હકીકત ફોરેન્સિક લેબોરેટરી તપાસમાં બહાર આવી શકશે.ટીએચઓ અને એક ખાનગી તબીબે જણાવ્યું કે, મેડિકલ વેસ્ટ અથવા બાયોમેડિકલ વેસ્ટ જાહેર અને ખુલ્લી જગ્યામાં ફેંકી શકાય નહીં. આ માટે દરેક ખાનગી અને સરકારી હોસ્પિટલ દ્વારા વેસ્ટ લઈ જતી ફર્મ સાથે એમઓયુ કરેલા હોય છે અને તે વાનમાં હોસ્પિટલથી લઈ જવાનું હોય છે.

    ઈન્ડિયન મેડિકલ એસોસીએશન પાટણ એકમના પ્રમુખ અને ગાયનોકોલોજિસ્ટ ડો. હિનેશ મોદીએ જણાવ્યું કે, ઘણા ડોક્ટરો ઓપરેશન કરીને તે અંગો દર્દીઓ અને લોકો જોઈ શકે તે માટે વેઇટિંગમાં ગોઠવતાં હોય છે અથવા તો સાચવી રાખતાં હોય છે. અમે પણ આવા નમૂના આધારે ભણેલા છીએ. દરેક મેડિકલ કોલેજમાં આ પ્રકારે માનવ શરીરના અંગો સાચવવામાં આવતાં હોય છે.તાવડિયા ગામ પાસેથી મળી આવેલી બરણીઓ કોઈ ડોક્ટર દ્વારા ફેંકી દેવાઇ હોય એવું જણાતું નથી. કેમ કે, આના માટે મેડિકલ વેસ્ટ એજન્સીની વાન આવતી હોય છે. કોઈ ડોક્ટર આવી રીતે ખુલ્લામાં ફેંકે નહીં. હવે આ બરણીઓ ત્યાં કઈ રીતે પહોંચી એ તો પોલીસ તપાસનો વિષય છે તેમ ડો.મોદીએ જણાવ્યું હતું.



Download Our B K News Today App



Related News