સુરતના વરીયાવથી ઓલપાડ આવતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-02 17:39:35
  • Views : 61
  • Modified Date : 2024-06-02 17:39:35

સુરતના વરીયાવથી ઓલપાડ આવતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થયુ હોવાનું સામે આવ્યુ છે. ઓલપાડથી વરીયાવ પાણી પુરવઠા જૂથની લાઈનમાં ભંગાણ થયુ છે. છેલ્લા ઘણા દિવસોથી મુખ્ય લાઈનમાં લીકે જથતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભર ઉનાળે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયુ છે.બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણીની અછત જોવા મળે છે. પરંતુ પાઈપલાઈનનું ભંગાણ થતા પાણીનો વેડફાટ થયો છતા પણ લીકેજ બંધ કરવાનો તંત્ર પાસે સમય નથી.અનેક વાર લાઈનમાં લીકેજથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.  ઉનાળામાં એક તરફ લોકોને પાણી માટે વલખા મારવા પડે તો બીજી તરફ પાણીનો વેડફાટ થતા અનેક સવાલો ઉભા થાય છે.

Download Our B K News Today App



Related News