ગાંધીનગરમાં સામાન્ય વરસાદે ખોલી તંત્રની ભ્રષ્ટાચારની પોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-12 12:11:03
  • Views : 380
  • Modified Date : 2020-06-12 12:11:03

પ્રિમોન્સૂન કામગીરીના સદંતર અભાવે સ્માર્ટ સીટી અને રાજયના પૂર્વ પાટનગર ગાંધીનગર શહેરમાં વરસાદના પહેલાં ટ્રાયલથી જ વહીવટ તંત્રની બેદરકારીની પોલ ખુલી ગઈ છે. જેમાં માત્ર બે-ત્રણ કલાક જ પડેલાં વરસાદથી ભ્રષ્ટાચાર સૌના નજરે પડતા આક્રોશ વ્યકત કરવામાં આવી રહયો છે. ખાસ કરીને ઘ માર્ગ ઉપર અને તેમાં પણ ઘ-૪ થી
ઘ-૫ સુધીના વિસ્તારમાં બનાવાયેલાં ર્પાકિંગ જ પાણીમાં ડૂબી જવા સાથે ભારે ગંદકી થતા પ્રજાનો લોકડાઉનમાં રહેલો રોષ ઉગ્ર બન્યો છે.
ગાંધીનગર શહેરના
ઘ-૫ થી ઘ-૪ સુધીના સેક્ટર ૧૬ માં આવેલા વિસ્તારમાં
 બેંકો, ટોરેન્ટ પાવર, પાટનગર યોજના ભવન, રેસ્ટોરન્ટો તથા અન્ય દુકાનો આવેલી છે. જ્યાં ગાંધીનગર જિલ્લાની પ્રજાને બેંકમાં આર્થિક ભંડોળની લેવડ દેવડ અને અન્ય ખરીદી કે ખાતાકીય કામકાજ માટે આવે છે. ત્યારે વાહન પા‹કગ
 પડકારજનક બની રહે છે. આ પા‹કગ સ્થળોએ વર્ષોથી વરસાદી પાણી ભરાઇ જતા હોય છે તેમ છતાં નઘરોળ ગાંધીનગર શહેર કોર્પોરેશન કે સરકારી તંત્રને પ્રજાને પડતી હાલાકી ની કોઇને પડી નથી.
ગાંધીનગરમાં ઘ-૪ પાસે થોડા સમયથી અંડરપાસ બની રહ્યો હોવાથી વાહનોની
અવરજવર માટે આ સર્વિસ રોડનો ઉપયોગ થાય છે.
પરિણામે આ રસ્તા પર અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવવા સાથે પ્રજાને
પા‹કગના ઉપયોગથી વંચિત રહેવું પડે છે. આથી આ
પા‹કગમાં વરસાદી પાણી ભરાવવા સાથે લીલ અને ગંદકી થાય છે તે પ્રશ્નોનો
ઝડપથી નિકાલ તંત્ર દ્વારા લાવવા નગરજનોએ ઉગ્ર માંગ કરી છે.

Download Our B K News Today App



Related News