પાટનગરમાં ૪૨૮ બિલ્ડીંગ સંસ્થાઓ ફાયર એનઓસી વિનાની, તમામને નોટિસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-08 11:03:46
  • Views : 261
  • Modified Date : 2020-12-08 11:03:46

રાજ્યમાં સુરતના તક્ષશિલા કાંડથી લઈને રાજકોટ અમદાવાદમાં હોસ્પિટલોમાં આગના બનાવો બની ચૂક્યા છે.   નિર્દોષ લોકો તેમાં જીવતા ભૂંજાઈ ગયા છે. સરકાર દ્વારા માત્ર તપાસના આદેશો કરવામાં આવે છે. તેવા સમયે રાજ્યના પાટનગરમાં આ પ્રકારના બનાવો ન બને તે માટે ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા આકરા પગલા ભરવામાં આવ્યા છે. પરંતુ જાડી ચામડીના થઈ ગયેલા માલિકો અને સંચાલકો ફાયર વિભાગની નોટિસને પણ અવગણી રહ્યા છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં ૪૨૮ એકમો પાસે અધ્યતન ફાયર સિસ્ટમ નથી કે નથી ફાયર વિભાગની એન.ઓ.સી. જેને લઇને ફાયર વિભાગ દ્વારા નોટિસો ફટકારવામાં આવી છે. પરંતુ મગરની ચામડી ધરાવતા સંચાલકોએ તેની અવગણના કરી છે ત્યારે આગામી ૧૦ તારીખથી ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વેપાર ધંધા કરતા લોકોના ઉપર નેતાઓના સીધા હાથ હોય છે. પરિણામે તેઓ સરકારી નિયમોને ખિસ્સામાં રાખીને ચાલતા હોય ભાવનગર તેવું જાેવા મળતું હોય છે. પરંતુ તેમની એક ભૂલના કારણે અનેક નિર્દોષ લોકોને જીવથી ધોવા
પડતા હોય છે. ક્યારે ગાંધીનગર શહેરમાં આગના અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડ દ્વારા પરસેવો પાડવામાં આવ્યો હતો. ૪૨૮ એકમો પાસે ફાયર વિભાગની એનઓસી નહીં હોવાના કારણે નોટીસો ફટકારવામાં આવી હતી, તેમ છતાં જાડી ચામડીના બની ગયેલા સંચાલકોએ નથી એન.ઓ.સી. લીધી કે નથી ફાયર સિસ્ટમને અપગ્રેડ કરી.
ગાંધીનગર ફાયર વિભાગના ચીફ ઓફિસર મહેશભાઈ મોડે જણાવ્યું હતું કે, સુરત, રાજકોટ અને અમદાવાદમાં કોવિડ
હોસ્પિટલોમાં આગના બનાવ બનવા પામ્યા છે. જેને લઇને ગાંધીનગર શહેરમાં આ પ્રકારનો કોઈ પણ બનાવ ન બને તે માટે આગોતરા પગલાં ભરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી સરકારી ઈમારતો આ કાર્ય હોસ્ટેલ થિયેટર હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીઝ રેસિડેન્સીયલ બિલ્ડીંગ સ્કૂલ-કોલેજની બિલ્ડીંગની
તપાસ કરવામાં આવી હતી. જેની પાસે ફાયર વિભાગની એનઓસી ન હતી તેમને નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે જેમની પાસે ફાયર વિભાગની સિસ્ટમ છે, પરંતુ અપગ્રેડ નથી તેમને પણ નોટિસ ફટકારી છે હાલમાં ૪૨૮ બિલ્ડીંગ અને સંસ્થાઓ પાસે ફાયર એન.ઓ.સી. નથી. ત્યારે આગામી ૧૦મી તારીખથી આ તમામ બિલ્ડિંગના સીલ મારવામાં આવશે.

Download Our B K News Today App



Related News