રખડતાં પશુઓ દ્વારા વાહનચાલકો માટે જીવનું જોખમ યથાવત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-10 09:12:47
  • Views : 82
  • Modified Date : 2024-01-10 09:12:47

ભરૂચ રખડતા પશુઓને કારણે ઘણા લોકોએ જવ ગુમાવ્યા અને ઈજાગ્રસ્ત થવા છતાં તંત્ર પાસે સમસ્યાનો કોઈ  હલ નથી. રખડતાં પશુઓ બાબતે તંત્રની નિરાશ કામગીરીના કારણે બેફામ પશુઓ રાહદારીઓ અને વાહનચાલકો સામે જીવનું જોખમ ઉભું કરી રહયા છે.ભરૂચ શહેરના ઝાડેશ્વર ગામ નજીક આવેલ તુલસીધામ વિસ્તારએ અતિવ્યસ્ત બજાર અને ભરૂચ શહેરને નેશનલ હાઇવે સાથે જોડતો માર્ગ છે. મોટાભાગના સમય વાહનોનો વ્યસ્ત અવર-જ્વર ધરાવતા આ માર્ગ ઉપર મંગળવારે રાતે બે આખલા બાખડ્યા હતા. વ્યસ્ત માર્ગ ઉપર આખલા બાખડતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. વાહનોની અવરજવર વચ્ચે પશુઓના યુદ્ધના દ્રશ્યોએ અકસ્માતનો ભય સર્જ્યો હતો.

Download Our B K News Today App



Related News