શાહે કહ્યું- મમતા દીદીને જય શ્રીરામ બોલવાથી પણ વાંધો, આ નારા અહીં નહીં તો શું પાકિસ્તાનમાં બોલાશે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-11 13:57:33
  • Views : 240
  • Modified Date : 2021-02-11 13:57:33

    ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી. કૂચ બિહારમાં રેલીને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે પરીવર્તન યાત્રા મુખ્યમંત્રી, મંત્રી કે ધારાસભ્યને બદલવાની નથી, બંગાળની પરિસ્થિતિને બદલવાની આ યાત્રા છે. શાહ કૂચ બિહારથી પરિવર્તન યાત્રાને લીલી ઝંડી આપશે અને અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ પછી, સાંજે 3: 45 વાગ્યે, તેઓ ઉત્તર 24 પરગણા જિલ્લાના ઠાકુરનગર ખાતે જાહેર સભામાં પણ સંબોધન કરશે.

    તેઓ (તૃણમૂલ કોંગ્રેસના લોકો) કહે છે કે આપણે પરિવર્તન યાત્રા કેમ કાઢીએ છીએ? હું આજે એમ કહેવા આવ્યો છું કે, કોઈપણ મુખ્યમંત્રીને બદલવાની પરિવર્તન યાત્રા નથી. કોઈ પણ ધારાસભ્યને હરાવવાનું નથી. કોઈ પણ ધારાસભ્યને હરાવવા માટે પણ નથી. આ બંગાળની પરિસ્થિતિને બદલવા માટેની પરિવર્તનની યાત્રા છે. તમે ઘૂસણખોરીથી પરેશાન છો કે નહીં? તમે માનો છો કે શું મમતા દીદી ઘૂસણખોરી રોકી શકે છે? આ ઘૂસણખોરીને રોકવા માટેની પરિવર્તનની યાત્રા છે. તમે એકવાર ભાજપની સરકાર બનાવો, પછી રાજ્યમાં માણસ તો શું કોઈ પરિંદા પણ ઘૂસી શકશે નહીં, અને એવું બંગાળ બનાવીશું.

    આ પરિવર્તન યાત્રા છે. ફોઇ-ભત્રીજા (મમતા અને અભિષેક બેનર્જી)ના ભ્રષ્ટાચારને સમાપ્ત કરવાની પરિવર્તનની યાત્રા છે. બંગાળની બેરોજગારીને સમાપ્ત કરવાના પરિવર્તન યાત્રા છે. અહીં બોમ્બ વિસ્ફોટોને રોકવા માટેની પરિવર્તન યાત્રા છે.આ હિંસાના બદલે વિકાસના રાજકારણની પરિવર્તનની યાત્રા છે. આ સોનાનું બંગાળ બનાવવાની પરિવર્તન યાત્રા છે. આ વખતે બંગાળ, બસોને પાર. તમે મમતા દીદીને ઘણી તક આપી. એકવાર નરેન્દ્ર મોદીને તક આપો, અમે સોનાનું બંગાળ બનાવીને આપીશું.

    મમતા ડીડી માને છે કે ગુંડાઓ તેમણે ચૂંટણી જીતાડી દેશે. તમારા તોફાની ગુંડાઓની સામે મારો બૂથ પ્રમુખ છે. બંગાળના લોકોએ નિર્ણય કર્યો છે કે આ વખતે અમે પરીવર્તન કરીને જ રહીશું. મોદી હમણાં જ આવ્યા હતા. તેમણે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી. પરંતુ કોચ રાજવંશી સમાજ અને અન્ય સમાજના લોકો જણાવે કે તમારા ખાતામાં 6 હજાર રૂપિયા આવે છે કે નહીં? ક્યાંથી આવશે, જ્યારે મમતા દીદીએ તમારા ખાતાની વિગતો જ મોકલતી નથી, તો ક્યાથી આવશે.

    મમતા દીદીએ જયશ્રી રામ બોલવાથી પણ વાંધો છે. અહીં જય શ્રીરામ નહીં બોલાય તો શું પાકિસ્તાનમાં બોલાશે. મારી સાથે તમારો હાથ ઉંચો કરો અને બોલો જય શ્રી રામ, જય જય શ્રી રામ. આ મમતા દીદીનું અપમાન લાગે છે, કારણ કે તેમને તૃષ્ટિકરણ દ્વારા સમાજના મતોની જરૂર છે. હું બાંહેધરી આપું છું કે ચૂંટણી સમાપ્ત થતાં-થતાં મમતા દીદી પણ જય શ્રી રામ બોલવા લાગશે.

    આયુષ્યમાન ભારત યોજના નરેન્દ્ર મોદી લાવ્યા. મમતા નથી ઇચ્છતા કે આ સુવિધા આપણે મળે. તે આપની પાસે આવશે તો મોદીજી લોકપ્રિય થઈ જશે. હું વચન આપું છું કે ભાજપની સરકાર બનાવો, આયુષ્યમાનનો લાભ એક જ મહિનામાં મળી જશે. મે પછી મમતા દીદી તેને રોકી શકશે નહીં, કેમ કે તે મુખ્યમંત્રી જ નહીં રહે. મોદીજીએ ગરીબો માટે 115 યોજનાઓ બનાવી છે, પણ મમતા દીદી તેને રોકીને બેઠી છે. મોદી સરકાર ગરીબ કલ્યાણ માટે તો મમતા દીદી ભત્રીજાના કલ્યાણમાં લાગી છે. તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે ક્યારે ભત્રીજો મુખ્યમંત્રી બની જાય.


Download Our B K News Today App



Related News