રાજકોટમાં સ્કૂલ વાનને નડ્યો ગંભીર અકસ્માત, ધો. 5ની વિદ્યાર્થીનીનું મૃત્યુ તો 9 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-18 12:00:31
  • Views : 203
  • Modified Date : 2022-04-18 12:00:31


રાજકોટના જસદણ પાસે અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મૃત્યુ

એકલવ્ય સ્કૂલ વાન અને ફોર વ્હીલરનો અકસ્માત

ધો. 5ની વિદ્યાર્થીનીનું મૃત્યુ તો 9 લોકો ઈજાગ્રસ્ત


રાજ્યમાં આજે વિવિધ જગ્યાએ અકસ્માતની ત્રણ ઘટનાઓ ઘટી છે જેમાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ રાજકોટના જસદણ પાસે જસદણની એકલવ્ય સ્કૂલ વાન અને ફોર વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં એક વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું છે. આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે અકસ્માત સર્જાતા ધોરણ 5ની વિદ્યાર્થીનીનું મૃત્યુ થયુ છે. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

 

સુરત-અમદાવાદ નેશનલ હાઈવે નં. 48 પર એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત

અત્રે તમને જણાવી દઇએ કે, બીજી બાજુ સુરત-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત થયા છે. તો બીજી બાજુ સુરતના વાંકલ સ્વામિનારાયણ મંદિર નજીક ડમ્પર નીચે બાઈક ઘૂસી જતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.

 

એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મૃત્યુ

સુરત-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 લોકોના મોત નિપજ્યાં છે. એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મૃત્યુ થયા છે. કોસંબા ઓવરબ્રીજ નજીક આ દુર્ઘટના સર્જાઈ છે. જો કે, અકસ્માત સર્જાતા તુરંત આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતાં. આ મામલે પોલીસને જાણ કરાતા તુરંત કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાલમાં કોસંબા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇને વધારે તપાસ હાથ ધરાઇ રહી છે.

 

વાંકલ સ્વામિનારાયણ મંદિર નજીક ડમ્પર નીચે બાઈક ઘૂસી જતા યુવકનું ઘટનાસ્થળે જ મોત

તો સુરતના વાંકલ સ્વામિનારાયણ મંદિર નજીક પણ અકસ્માત સર્જાયો છે. જેમાં ડમ્પર નીચે બાઈક ઘૂસી જતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જો કે, અન્ય 2 બાઈકસવારનો પણ આબાદ બચાવ થયો છે. ત્યારે આ અકસ્માતની ઘટનામાં પણ પોલીસને જાણ થતા માંગરોળ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. હાલમાં માંગરોળ પોલીસે આ મામલે વધારે તપાસ હાથ ધરી છે.

 

રવિવારે પુણા વિસ્તારમાં BRTS બસની હડફેટે આવતા એક રાહદારીનું મૃત્યુ થયું હતું

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે રવિવારનાં રોજ પણ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં સુરતના પુણા વિસ્તારમાં બેફામ બનેલી BRTS બસની હડફેટે આવતા એક રાહદારીનું મૃત્યુ થયું હતું. જો કે આ ઘટનામાં અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ બસના કાચ તોડીને તોડફોડ કરી હતી. બાદમાં પુણા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Download Our B K News Today App



Related News