સંતોની હત્યા એટલે ભારતીય સંસ્કૃતિની હત્યા ઃ હાર્દિક હુંડીયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-22 11:40:32
  • Views : 367
  • Modified Date : 2020-04-22 11:40:32

 પાલઘર ખાતે બે  હિન્દુ સંતોની જે રીતે હત્યા થઈ છે તે નિંદનીય ઘટના વિશે આપણે આપણાં દેશમાં કયારેય વિચારી પણ ના શકીએ. ભારતીય સંસ્કૃતિ એટલે એક અનમોલ જીવન, સંપૂર્ણ વિશ્વ તે પ્રકારનું જીવન જીવવાનો પ્રયાસ કરે છે.  રાષ્ટ્રપ્રેમ અને ધર્મ પ્રેમથી નિશ્ચિત થયેલ જીવન જ સંત મહાત્માઓનું જીવન ગણાય છે. ધર્મની સાથે સાથે રાષ્ટ્રપ્રેમનો અનમોલ પાઠ તે સંત સમાજ તરફથી મળેલ ઉતમ શિક્ષા છે, આપણા દેશની અનમોલ ધરોહર સમા સંતોની હત્યા  આપણી ભવ્ય સંસ્કૃતિની હત્યા થઈ છે એમ કહી શકીશું.  આ વાત જણાવતા ઓલ ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિયેશનના રાષ્ટ્રીય અઘ્‌યક્ષ હાર્દિક હુંડીયાએ આ ઘટનાને વખોડી કાઢતા જણાવ્યું કે  તેઓ આ પરમ આદરણીય મહાત્માઓની હત્યા નિંદનીય ઘટના છે. આ સંતોની હત્યાની સાથે સાથે સંસ્કૃતિની પણ હત્યા થઈ છે જે આપણે ક્યારેય પણ  સહન કરી શકીશું નહીં.  
આપણા પવિત્ર ભારત દેશની ભૂમિ રાષ્ટ્ર સંતો અને મહંતોની ભૂમિ છે.  સંત મહાત્માઓ હમેશાં દેશની પ્રજાને  અનમોલ  જીવન વ્યતિત કરવાની  સલાહ આપે છે.  આઈજાના રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક હુંડીયાએ જણાવ્યું  હતું કે આપણે આ ઘટનાને પગલે કોઈપણ પ્રકારની રાજકીય રમત રમવી જોઈએ નહીં. એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરવાને બદલે  બધા પક્ષોએ  એક બીજાની સાથે મળીને આવી ઘટનાઓનું સમાધાન લાવવાની કોશિશ કરવી જોઈએ.  સંતો કદી કોઈ પણ રાજકીય પક્ષોના નથી હોતા,  તેઓ  સંપૂર્ણ રાષ્ટ્રની ઘરોહર હોય છે, તેમની રક્ષા કરવી આપણો રાષ્ટ્ર ધર્મ છે. સાદગીભર્યુ જીવન અને ઉચ્ચ વિચાર જ સંતોનું  જીવન ઘોરણ હોય છે. જે આપણા સૌ માટે  પ્રેરણાદાયક છે.
પોલીસ વિભાગની એવી કઈ મજબુરી હતી કે તેઓએ આવા હિંસક લોકો કે જેઓ લાકડીઓ સાથે સમુહમાં આવ્યા હતા તેમના હવાલે આ નિર્દોષ સંતોને કરી દીધા. આ ઘટનાની ગંભીરતા પૂર્વક તપાસ થવી જોઈએ. જેથી કરીને બીજી વખત આવી કરપીણ ઘટના ઘટીત ના થાય. એક તરફ દેશની પોલીસ ખડેપગે
પોતાના પરિવારની પરવા કર્યા વગર દેશમાં ફેલાઈ રહેલ કોરોનાની બિમારી સામે
પોતાના જીવનું જતન ના કરતા ફરજ બજાવી રહી છે તે સમયે આ વિરોધાભાસી વલણ ચર્ચાનો વિષય છે.
આઈજા અધ્યક્ષ હાર્દિક હુંડીયાએ સંતોની આ કરપીણ હત્યાનો વિરોધ કરતા જણાવ્યું કે આપણને સૌને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેજી, ગૃહમંત્રી અનિલ દેશમુખજી ઉપર પુરો ભરોસો છે કે તેઓ આ કેસની ઉચ્ચ સ્તરીય તપાસ કરીને ગુનેગારોને સજા આપશે. જેના પગલે ફરી વખત આવી ઘટના ઘટે નહીં. પુરો દેશ સંતોની આ કરપીણ હત્યાની ઘોર નિંદા કરી રહ્યું છે. સંતોની હત્યા એટલે આપણા અનમોલ જીવનની,આપણી સંસ્કૃતિની અને આપણા ધર્મની હત્યા છે. જે હમેશા નિંદનીય છે. આઇજાના રાષ્ટ્રીય મહામંત્રી મહાવીર શ્રીશ્રીમાલ, મહારાષ્ટ્રથી  દિલીપ કાવેરીયા, ગુજરાતથી અલ્પેશ શાહ, રાજસ્થાનથી રવિ પુંગલીયા, છત્રીસગઢથી પ્રદીપ પગારીયા, કર્નાટકથી સુભાષ ડંક, તેલગણાથી દિનેશ જૈન, તામિલનાડુથી દિનેશ સાલેચા,પંજાબથી નરેશ જૈન,મધ્યપ્રદેશથી પવન નાહર સહિત અનેક જૈન ધર્મના અનુયાયીઓએ પાલઘરમાં ઘટીત સંતોની નિર્મમ હત્યાની ઘોર નિંદા કરતા આ વાત આઈજાના રાષ્ટ્રીય પ્રચાર સમિતિના અધ્યક્ષ માનમલજી મહેતાએ જણાવી હતી.
આભાર - નિહારીકા રવિયા

Download Our B K News Today App



Related News