તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી સફેદ ભ્રષ્ટાચારનું હબ બની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-09 11:36:02
  • Views : 746
  • Modified Date : 2021-01-09 11:36:02

લાખણી તાલુકાના ૫૨ ગામમાં થઈને કુલ ૧૮ પગાર કેન્દ્ર શાળાઓ આવેલ છે અંદાજે ૧૮૦ જેટલી પ્રાથમિક શાળાઓ અને ૭૫૦ થી ૮૫૦ જેટલા શિક્ષકો કાર્યરત છે. ત્યારે જવાબદારીના ભાગરૂપે દરેક શાળાએ સમયાંતરે મુલાકાત લઈને અસરકારક કામગીરી કરવાના બદલે કચેરીથી જ કામ કરવામાં આવી રહ્યું છે પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધરે તેવા હકારાત્મક અભિગમ સાથે કામ કરવાના બદલે માત્રને માત્ર કચેરીમાંથી શિક્ષકોના વહીવટ જ કરવામાં આવી રહ્યા છે જેમાં મેડિકલ રજાઓમાં પણ સેટિંગ, શિક્ષકોના ફૂલ પગારના ઓડર કરવામાં પણ લેતીદેતી, શિક્ષકો શાળામાંથી બદલી કરાવે ત્યારબાદ તેમણે છુટા કરવામાં પણ વ્યવહાર, નવા શિક્ષકને હાજર કરવામાં પણ વ્યવહાર કરવામાં આવતો હોવાની રાડ ઉઠવા પામી છે. સૌથી મોટી ગેરરીતિ તો ઉચ્ચતર પગાર ધોરણમાં થવા પામી છે.  સરકાર દ્વારા દરેક શિક્ષકની સળંગ નોકરી કરવાના પરિપત્ર બાદ દરેક તાલુકાએથી ઉચ્ચત્તર
પગાર ધોરણ એટલે કે ગ્રેડ ૯ માં આવનાર શિક્ષકોની ૨૫ સર્વિસ બુક મુકવાનો જિલ્લામાંથી આદેશ હતો એ પ્રમાણે ક્રમશ આવતા શિક્ષકોની સર્વિસ મુકવાની હોય છે. ત્યારે લાખણી તાલુકામાં ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવનાર તમામ શિક્ષકો
પાસેથી ૪૦૦૦ રૂપિયા લેખે ઉઘરાવી લીધા છે. જે લોકોએ આના કરતાં પણ વધારે રૂપિયા આપ્યા છે એ શિક્ષકોને સર્વિસ બુક પહેલા મુકવામાં આવી છે. જેનો લાભ પણ એ શિક્ષકોને મળવા લાગ્યો છે. જ્યારે ૨૦૯૧૯ માં ઉચ્ચતર પગાર ધોરણની યોગ્યતા ધરાવતા કેટલાક શિક્ષકો હજુ સુધી પણ તેનાથી વંચિત છે વળી નિવૃત શિક્ષકોમાં પણ તેમના પેંશનને લઈને પણ ગેરરીતિ કરવામાં આવે છે ત્યારે શિક્ષકો
ગેરરીતિનો ભોગ બની રહ્યા છે.
 પણ એમની મજબૂરી છે કે એ બોલવા જાય તો દંડાય એમ છે. જે બોલકા છે અથવા નેતાગીરી કરતા શિક્ષકો છે એમને સાચવી લેવામાં આવતા હોવાથી અન્ય નિર્દોષ શિક્ષકો આ સફેદ ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે. આ સફેદ ભ્રષ્ટાચાર એટલા માટે કે આમાં સીધી પ્રજાને કોઈ લેવાદેવા હોતો નથી. એટલે લોકોને ખબર ન પડે એક ચોક્કસ વર્ગ જ એટલે કે
શિક્ષકોથી જ લેવાદેવા એટલે બીજી કોઈ ચિંતા હોય નહીં સરકારી કર્મચારી અન્ય સરકારી કર્મચારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી. કરવા જાહેર આવવા માંગતા હોતા નથી. જાે જાહેરમાં આવે તો એ બધાની નજરમાં આવી જાય. આ લેવડદેવડ પણ ત્રાહિત વ્યક્તિ  એટલે કે જેતે શાળાના આચાર્યને આની જવાબદારી હોય છે એવું પણ ચર્ચાઈ રહ્યું છે સાથે નોકરી કરવી હોય એટલે શિક્ષકો બોલ્યા વગર ચૂપચાપ બધું આપી દે છે. આ ગેરરીતિનો પર્દાફાશ થાય અને આ ગેરરીતીમાં સામેલ તમામ લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેમની મિલકતની પણ ચકાસણી કરવામાં આવે તેવી લેખિત રજુઆત કરવામાં આવનાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગુજરાત સરકારે આ બાબતે ગંભીરતા દાખવીને સરકારી કર્મચારીઓ પાસેથી ઉપર પૈસા આપવાના છે એમ કહી ગેરરીતીઓ કરી સરકારને બદનામ કરતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની તાલુકાની જાહેર જનતાની લોકમાંગ છે.

Download Our B K News Today App



Related News