રાજકોટ એઇમ્સ હોસ્પિટલના આજે 50 વિદ્યાર્થીની પ્રથમ બેચના શ્રીગણેશ, ગાંધીનગરથી CM રૂપાણીએ ઇ-શુભારંભ કરાવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 14:31:54
  • Views : 271
  • Modified Date : 2020-12-21 14:31:54

    કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં પ્રથમ રાજકોટને એઇમ્સ હોસ્પિટલની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે એઇમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી આજથી મેડિકલ કોલેજની 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ શરૂ કરવામાં આવી છે. આજે શરૂ થતી પ્રથમ બેચમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઈ-શુભારંભ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરના સ્વાગત માટેનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.એઇમ્સ રાજકોટને તમામ માર્ગદર્શન મળી રહે તે માટે જોધપુર એઇમ્સને મેન્ટર સંસ્થા બનાવવામાં આવી છે. રાજકોટ એઇમ્સના રેસિડન્ટ પી.કે. દવે તેમજ ડે.ડાયરેક્ટર શ્રમદીપ સિંહાના કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. તેમજ સાંસદ મોહન કુંડારીયા અને પુનમ માડમ સહિત રાજકોટ કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.


    આજથી શરૂ થયેલી એઇમ્સની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે આજથી અભ્યાસ કરાવવામાં આવશે. પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જે વિષયોમાં એનાટોમી, ફિઝીયોલોજી અને બાયો કેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે. આ સાથે વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે સ્પેશિયલ બોયસ એન્ડ ગર્લ્સ હોસ્ટેલમાં જગ્યાની ફાળણી કરવામાં આવી છે.સાંસદ મોહન કુડારીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતા માટે આજે આનંદનો દિવસ છે. 1200 કરોડના ખર્ચે મારા સાંસદીયકાળમાં એઇમ્સ મળી એટલે મને વધુ આનંદ છે. 1956માં પ્રથમ એઇમ્સ હોસ્પિટલ દિલ્હીમાં બની હતી. બાદમાં 2002માં દરેક રાજ્યમાં એઇમ્સ માટે વિચાર કરવામાં આવ્યો હતો. 2002માં 6 એઇમ્સ બનાવવામાં આવી હતી. 2014થી અત્યાર સુધીમાં નરેન્દ્રભાઈએ 14 એઇમ્સને મંજૂરી આપી છે.

    નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, એઇમ્સ મેડિકલ કોલેજની પ્રથમ બેચ શરૂ કરવા બદલ તમામનો આભાર માનું છું. મોદીજીએ ગુજરાતમાં મેડિકલ કોલેજ માટે નવી સોસાયટી બનાવી હતી. હર્ષવર્ધનનો ખઆસ આભાર વ્યક્ત કરૂ છું. ગુજરાતની જનતાવતી ગુજરાત વિકસિત રાજ્ય છે પણ આરોગ્ય સુવિધા માટે એઇમ્સની જરૂર હતી. સરકાર દ્વારા આપવામાં આવેલી ભેટ બદલ આભાર વ્યક્ત કરૂ છું. જલ્દીથી આ એઇમ્સનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે.અશ્વિનીકુમાર ચોબેએ કહ્યું કે 1195 કરોડના ખર્ચથી એઇમ્સનું નિર્માણ કરવામાં આવશે. ચોબેએ NEET પરીક્ષા પાસ કરી MBBSમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓના માતા પિતાને પણ અભિનંદન આપ્યા હતા. વધુમાં જણાવ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી અટલજીનું સ્વપ્ન હતું. દરેક રાજ્યમાં એઇમ્સની સ્થાપના થવી જોઇએ. સુષ્મા સ્વરાજજીના સમયમાં 6 એઇમ્સ બનાવવામાં આવી હતી. આજે 16 એઇમ્સ મોદીજીના કાર્યકાલમાં બનાવવા મંજૂરી મળી છે. તાજેતરમાં જ બિહારમાં એઇમ્સ બનાવવા કેન્દ્રએ મંજૂરી આપી છે. ત્યારે ઔદ્યોગિક નગરી તરીકે રાજકોટ પ્રખ્યાત છે. રાજકોટમાં એઇમ્સ બનાવવામાં આવે તે માટે મુખ્યમંત્રીની મુખ્ય ભૂમિકા રહી છે. પ્રધાનમંત્રી એઇમ્સનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

    રાજકોટના જામનગર રોડ પર ખંઢેરી ગામ પાસે 201 એકરમાં 1195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલ નિર્માણ પામશે. જેમાં આધુનિક સુવિધાઓથી સજ્જ કેમ્પસ બનાવામાં આવશે. આ હોસ્પિટલ બે વર્ષમાં બની જશે. તેમજ 2021 સુધીમાં OPD પણ શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. એઇમ્સ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને રહેવા માટે આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવશે. એઇમ્સ હોસ્પિટલનું કામચલાઉ કેમ્પસ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉભું કરવામાં આવ્યું છે. આ કેમ્પસની અંદર 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ આજથી શિક્ષણ મેળવશે.રાજકોટ એઇમ્સ હોસ્પિટલના કેમ્પસમાં બાઉન્ડ્રીનું કામ 70 ટકા પૂર્ણ થઈ ગયું છે. આનો માસ્ટર પ્લાન પણ મંજૂર થઈ ગયો છે. અહીં રાજકોટ મનપા દ્વારા બિલ્ડીંગના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આથી કન્સ્ટ્રક્શનું કામ શરૂ કરી દીધું છે. જુન 2022માં કન્સ્ટ્રક્શન કામ પૂર્ણ થઈ જશે. 185 કરોડના ખર્ચે એઇમ્સમાં મેડિકલ આર્ટ એક્યુપમેન્ટ એઇમ્સમાં લગાવવામાં આવશે. બધુ નિયમ પ્રમાણે ચાલશે તો બે વર્ષમાં એઇમ્સ હોસ્પિટલ બની જશે.


    પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય અને સુરક્ષા યોજના અંતર્ગત રાજકોટ-જામનગર હાઇવે પર ખંઢેરી ગામ ખાતે 1195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે એઇમ્સ હોસ્પિટલની મેડિકલ કોલેજનું શિક્ષણ કાર્ય આજથઈ શરૂ કરવામાં આવ્યું છે. મેડિકલ કોલેજની શરૂઆત પ્રથમ 50 વિદ્યાર્થીઓની બેચથી કરવામાં આવી છે. આ માટે 17 જેટલા પ્રોફેસરોની નિમણુક પણ કરવામાં આવી છે.ગત અઠવાડિયામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ એઇમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સાથે જ જૂન 2022 સુધીમાં એઇમ્સ સંપૂર્ણ તૈયાર થઇ જવાના સંકેત જોવાય રહ્યાં છે. બાદમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના લોકો માટે આરોગ્યની આધુનિક સુવિધા ઘર આંગણે મળી રહેશે. જેથી મુંબઈ કે દિલ્હી સુધી આરોગ્ય સારવાર માટે જવું નહીં પડે.







Download Our B K News Today App



Related News