આવતીકાલે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ:

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-30 15:42:44
  • Views : 102
  • Modified Date : 2023-09-30 15:42:44

યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલે માં અંબાના નિજ મંદિરની પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. બપોરે 1:30 કલાક સુધી માં અંબાના દર્શન થશે. જે બાદ એટલે કે બપોરે 1:30 બાદ મંદિર બંધ  કરવામાં આવશે. મહત્વનું છે કે, ભાદરવી પૂનમના મેળા બાદ ચોથના દિવસે દર વર્ષે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. પ્રક્ષાલન વિધિમાં મંદિર સહિત માતાજીના સોના-ચાંદીના ઘરેણા અને ચાંચર ચોકની સાફ-સફાઇ કરવામાં આવે છે.  અંબાજી ખાતે યોજાશે પ્રક્ષાલન વિધિઆ અંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મંદિરની પ્રણાલિક મુજબ તા- 01/10/2023 ભાદરવા વદ -2 (બીજ)ને રવિવારના રોજ માતાજીના નિજમંદિરમાં પ્રક્ષાલન વિધિ બપોરે 1:30 કલાકે શરૂ થશે, જેથી સદરહું દિવસ પુરતો માતાજીની આરતી તથા દર્શનનો સમય સવારે 07:10થી 11:30 સુધી અને બપોરે 12:30થી 01:30 સુધી રહેશે. શું છે પ્રક્ષાલન વિધિ- અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધિ વર્ષમાં એકવાર ભાદરવી પુનમ બાદ ચોથે કરવામાં આવે છે. - જેમાં અંબાજી નિજ મંદિરના ગોખ સહિત સમગ્ર મંદિર પરીસરની સાફ સફાઈ કરે છે. - આ ખાસ કરીને અમદાવાદના એક સોની પરિવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 187 વર્ષથી આ વિધિ સાથે સંકળાયેલા છે. - આ વિધિમાં અંબાજી મંદિર પરિસરને નદીઓના નીરથી ધોવામાં આવે છે. - માતાજીના શણગારના સોના-ચાંદીના દાગીનાઓને મંદિરના પવિત્રજળની ધોવામાં આવે છે.- આ મંદિરની પવિત્રતા જાળવવા ખાસ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News