180 કંપનીઓના પ્રમોટરોએ તેજીનો લાભ લઇ લીધો: રૂા. 40,000 કરોડના શેર વેચ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-09-29 18:19:33
  • Views : 168
  • Modified Date : 2024-09-29 18:19:33

સપ્ટેમ્બરના ત્રિમાસિકગાળામાં  અત્યાર સુધીમાં લગભગ 180 જેટલી કંપનીઓએ ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા 40000 કરોડથી વધુના સ્ટોકનું વેચાણ કર્યું છે. પ્રમોટરો દ્વારા સેકન્ડરી માર્કેટમાં વેચાયેલા શેરનું મૂલ્ય 1 લાખ કરોડને વટાવી ચૂક્યું છે. તે 2023 માં બમણાં કરતાં વધારે છે, આ રકમ 2023 માં 48000 કરોડ હતી. 2021 અને 2022 માં, સંખ્યા અનુક્રમે 54500 કરોડ અને 25400 કરોડ હતી. બીએસઈ અને એનએસઈના ડેટા અનુસાર, ઈન્ટરગ્લોબ એવિએશન, અંબુજા સિમેન્ટ્સ, પતંજલિ ફૂડ્સ, મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસિસ, કેપીઆર મિલ્સ, ઈઝી ટ્રીપ પ્લાનર્સ, વેલસ્પન લિવિંગ, સિએન્ટ ડીએલએમ, શારદા મોટર ઈન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓના પ્રમોટર્સ 1 જુલાઈ થી 300 કરોડથી 10500 કરોડના શેર્સ વેચ્યાં હતાં. આનંદ રાઠી વેલ્થના ડેપ્યુટી સીઈઓ ફિરોઝ અઝીઝે જણાવ્યું હતું કે, ‘બજારમાં તેજી સાથે, પ્રમોટરો માટે નફો બુક કરવાનું સામાન્ય છે કારણ કે તેઓ આને સારા સમય તરીકે જુએ છે તેમણે કહ્યું કે જ્યારે લાર્જ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો વ્યાજબી કિંમતનાં લાગે છે, ત્યારે મિડ-કેપ સ્પેસમાં થોડી માત્રામાં ફ્રોથ હોય છે.ઇન્ટરગ્લોબ એવિએશનના પ્રમોટર રાકેશ ગંગવાલ અને તેમનાં ફેમિલી ટ્રસ્ટે આશરે 10500 કરોડમાં 5.83 ટકા હિસ્સો વેચ્યો હતો. ઓગસ્ટમાં, અદાણીઓએ ગ્રુપ કંપની અંબુજા સિમેન્ટનો આશરે 2.8 ટકા હિસ્સો 4200 કરોડમાં વેચ્યો હતો.પતંજલિ ફૂડ્સના પ્રમોટર્સે 2016 કરોડમાં 10.8 મિલિયન શેર વેચ્યાં હતાં. મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસિસના પ્રમોટર એન્ટિટીએ તેનું દેવું ચૂકવવા માટે 1218 કરોડમાં 3.19 ટકા હિસ્સો વેચ્યો હતો. વેલસ્પન લિવિંગના પ્રમોટરે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા 1035 કરોડમાં 49.8 મિલિયન શેર વેચ્યાં હતાં.કેપીઆર મિલના પ્રમોટરોમાંના એક કેપી રામાસ્વામીએ બુધવારે 972.4 કરોડનાં શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે ઈઝી ટ્રીપ પ્લાનર્સના સહ-સ્થાપક નિશાંત પિટ્ટીએ બુધવારે 920 કરોડમાં બ્લોક ડીલ દ્વારા24.65 કરોડ શેર વેચ્યાં હતાં.નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ ડીલ લિસ્ટિંગના ધોરણોનું પાલન કરવા, દેવું ઘટાડવા અથવા કંપનીમાં વ્યૂહાત્મક રોકાણ માટે જગ્યા બનાવવાની જરૂરિયાતને કારણે થઈ શકે છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસના મેનેજિંગ ડાયરેક્ટરે કહ્યું હતું કે આ વલણ પરિપક્વ બજારોમાં લાક્ષણિક છે, અને ભારત પણ તેમાં સામેલ છે, રોકાણકારોએ આને ચિંતાનું કારણ ન ગણવું જોઈએ."

 

Download Our B K News Today App



Related News