માત્ર ચાર વીઘા જમીનમાં બાર લાખની કમાણી રળતો પ્રગતિશીલ ખેડૂત : જુઓ અમારો વિશેષ અહેવાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-08 10:37:40
  • Views : 465
  • Modified Date : 2022-04-08 10:37:40

  બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લો છે પરંતુ આ જિલ્લાના ખેડૂતો હવે પછાત રહ્યા નથી.. આ જીલ્લામાં ખેડૂતો તેમનામાં રહેલી કોઠાસૂજ અને કૃષિ વૈજ્ઞાનિકોની સલાહની મદદથી હવે ખેતીમાં સારી એવી આવક રળી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે..

 

આ છે બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામમાં રહેતા વિક્રમજી ઠાકોર... વિક્રમજી ઠાકોરના દાદા રાયચંદજી ઠાકોર બાર વીઘા જમીનના માલિક હતા અને સમય જતાં તેમના ત્રણ પુત્રો વચ્ચે આ જમીનમાં ભાગ પાડવામાં આવ્યા હતા.. અને વિક્રમજી ઠાકોરના પિતાના ભાગે ચાર વીઘા જમીન આવી હતી.. અત્યારે આ ચાર વીઘા જમીન પર વિક્રમજી ઠાકોર અને તેમનો નાનો ભાઈ સંયુક્ત રીતે ખેતી કરી રહ્યા છે.. આમ તો ચાર વીઘા જમીન એટ્લે ખૂબ જ ઓછી જમીન કહેવાય... પરંતુ આટલી ઓછી જમીન હોવા છતાં વિક્રમજી ઠાકોર ચાર વીઘા જમીનમાથી સારું એવું વળતર મેળવી રહ્યા છે.. વિક્રમજી ઠાકોર મનોવિજ્ઞાનમાં સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે અને અત્યારે ખેતીનો વ્યવસાય સાંભળી રહ્યા છે.. વિક્રમજી ઠાકોરે ખેતી કરવાની શરૂઆત કરી ત્યારે તેમણે બધાથી અલગ પરંપરાગત ખેતી કરવાના બદલે ખેતીમાં આધુનિક બદલાવ લાવીને અલગ અંદાજમાં ખેતી કરવાની શરૂઆત કરી... અને ડીસા ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક ડો. યોગેશ પવારનો સંપર્ક કર્યો.. અને ત્યારબાદ કૃષિ વૈજ્ઞાનિકના માર્ગદર્શન હેઠળ વિક્રમજી ઠાકોરે પોતાના ખેતરમાં ખેતીની શરૂઆત કરી... વિક્રમજી ઠાકોર પાસે માત્ર ચાર વીઘા જમીન હતી.. પરંતુ તેમને આટલી ઓછી જમીનમાં પણ આંતર પાકની શરૂઆત કરી... અને બનાસકાંઠા જિલ્લા જેવા પછાત અને પાણીની ખેંચ વેઠી રહેલા જીલ્લામાં બોરની વ્યવસ્થા હોય તેવા ખેડૂતો પણ વર્ષ દરમ્યાન માત્ર ચાર પાક લેતા હતા તેના બદલે વિક્રમજી ઠાકોરે એટલા જ ખર્ચમાં ૬ પાક લેવા માંડ્યા... અને તેનાથી વિક્રમજી ઠાકોરની આવકમાં તો વધારો થયો પરંતુ સાથે સાથે કૃષિ ખર્ચ પણ ઘટી ગયો હતો.. કારણ કે એક જ પાક માટે જે દવાઓ અને ખાતર માટે ખર્ચ થતો હતો તેટલા જ ખર્ચમાં આંતરપાકની મદદથી વિક્રમજી ઠાકોર બે પાક લેવા માંડ્યા.. આ ઉપરાંત ધીરે ધીરે વિક્રમજી ઠાકોરે રસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડયો અને પોતાના જ ખેતરમાં વર્મીકંપોસ્ટ ખાતર તૈયાર કરવાની શરૂઆત કરી.. જેનાથી તેમના ખેત ઉત્પાદકની ગુણવત્તા પણ સારી આવવા માંડી અને અત્યારે વિક્રમજી ઠાકોર વર્ષ દરમ્યાન માત્ર ચાર વીઘા જમીનમાથી લગભગ બાર લાખ કરતાં પણ વધારેની આવક રળી રહ્યા છે.

 

સરકાર દ્વારા ખેડૂતોના ઉત્કર્ષ માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને એટલા માટે સરકાર દ્વારા કૃષિ વૈજ્ઞાનિકોની નિમણૂંક કરવામાં આવી છે અને આ કૃષિ વૈજ્ઞાનિકો છેવાડાના ખેડૂતોને ખેતી કરવાની નવી નવી પધ્ધતિથી અવગત કરી રહ્યા છે.. અને તેના પરિણામ સ્વરૂપે બનાસકાંઠા જિલ્લા જેવા પછાત જિલ્લાના ખેડૂતો પણ અત્યારે આધુનિક ખેતી તરફ વળ્યા છે.. કૃષિ વૈજ્ઞાનિકોનું માનવું છે કે બનાસકાંઠા જીલ્લામાં દિવસેને દિવસે ભૂગર્ભ જલસ્તર ઊંડા ઉતરી રહ્યા છે.. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ હવે કૃષિ ખર્ચ ઘટાડવા માટે આ પ્રકારની આધુનિક ખેતી તરફ વળવું જરૂરી બની ગયું છે..

 

વિક્રમજી ઠાકોરે ખેતીમાં આમૂલ પરીવર્તન લાવીને આધુનિક ખેતી આપનાવીને વિક્રમજનક આવક મેળવી છે.. સાથે સાથે બનાસકાંઠા જીલ્લામાં પાણીની ઘાટ વચ્ચે આંતર પાક કરીને કૃષિ ખર્ચ પણ ઘટાડયો છે.. ત્યારે ગુજરાત ભરના ખેડૂતો જો વિક્રમજી ઠાકોર જેવી ખેત પધ્ધતિ અપનાવે તો ગુજરાતમાં પાણીના પ્રશ્નનો મોટા પ્રમાણમાં હલ લાવી શકાય અને કૃષિ ખર્ચને ઘટાડી શકાય તેમ છે..

Download Our B K News Today App



Related News