PM મોદીએ કહ્યું-26 જાન્યુઆરીએ તિરંગાનું અપમાન જોઈને દેશ ખૂબ દુઃખી થયો; આપણો વેક્સિનેશન પ્રોગ્રામ દુનિયામાં ઉદાહરણીય બન્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 11:47:39
  • Views : 248
  • Modified Date : 2021-01-31 11:47:39

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રેડિયો પર મન કી બાત કરી રહ્યા છે. તેમણે આ વર્ષના પ્રથમ એપિસોડમાં કહ્યું કે જ્યાં હું મન કી બાત કરૂં છું તો લાગે છે કે પરિવારની વચ્ચે છું. આપણા ખાટામીઠા અનુભવ, જીવન માટે બોધપાઠ જ મનની વાત છે. 2021ના જાન્યુઆરીનો અંતિમ દિવસ છે. તમે પણ મારી જેમ વિચારી રહ્યા છો કે આખો મહિનો વીતી ગયો. સમયની ગતિ આ જ છે. થોડા દિવસ અગાઉની જ વાત છે કે નવા વર્ષની શુભેચ્છાઓ આપી, પોંગલ, મકર સંક્રાતિ, લોહરી, 23 જાન્યુઆરી નેતાજીની જયંતી પર કાર્યક્રમ પર પરાક્રમ દિવસ, 26 જાન્યુઆરી, બજેટ સત્ર જેવી ચીજો વચ્ચે એક વધુ કામ થયું. પદ્મ પુરસ્કારોની ઘોષણા થઈ.

    વડાપ્રધાને કહ્યું કે ભૂમિગત સ્તરે કામ કરનારા અનસંગ હીરોઝને પદ્મ પુરસ્કાર આપવાની જે પરંપરા દેશમાં થોડા વર્ષ અગાઉ શરૂ થઈ હતી અને તે આજે પણ યથાવત્ છે. મારો તમને આગ્રહ છે કે એવા લોકો વિશે જાણો, તેમના વિશે પરિવારમાં ચર્ચા કરો. આ મહિને ક્રિકેટ પિચથી પણ ખૂબ સારા સમાચાર મળ્યા. શરૂઆતની નિષ્ફળતાઓ પછી આપણી ટીમે વિજય મેળવ્યો. આપણી ટીમનું હાર્ડવર્ક પ્રેરણાદાયી છે.

    મોદીએ કહ્યું કે 26 જાન્યુઆરીએ તિરંગાના અપમાનને જોઈને દેશ ખૂબ દુઃખી થયો. આપણે આવનારા સમયને નવી આશા અને અપેક્ષાઓથી ભરવાનો છે. આપણે અસાધારણ ક્ષમતાનો પરિચય આપ્યો છે અને આગળ પણ આપણે એમ જ કરવાનું છે. વર્ષની શરૂઆતની સાથે જ કોરોનાની વિરુદ્ધ લડાઈને પણ એક વર્ષ પુરું થયું છે. વેક્સિનેશન પ્રોગ્રામ દુનિયામાં ઉદાહરણ બની રહ્યો છે.ભારત દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામ ચલાવી રહ્યો છે. આપણે દુનિયામાં સૌથી ઝડપથી પોતાના નાગરિકોને વેક્સિનેશન કરી રહ્યા છીએ. 15 દિવસમાં જ 30 લાખથી વધુ કોરોના વોરિયર્સને રસી અપાઈ ચૂકી છે. અમેરિકાને આ કામમાં 18 અને બ્રિટનને 36 દિવસ લાગ્યા હતા.નમો એપ પર યુપીથી હિમાંશુ યાદવે લખ્યું છે કે મેઈડ ઈન ઈન્ડિયા વેક્સિનથી મનમાં આત્મવિશ્વાસ આવી ગયો. મદુરાઈથી કિર્તીજીએ લખ્યું છે કે અનેક વિદેશી દોસ્તોએ લખ્યું કે ભારતે જે રીતે કોરોના સામે લડાઈમાં દુનિયાની મદદ કરી, તેનાથી તેમના મનમાં ભારતની ઈજ્જત વધી ગઈ છે.

મોદીએ કહ્યું હતું કે હાલમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિએ જે રીતે ભારતનો આભાર માન્યો, તેનાથી દરેક ભારતીયને કેટલું સારૂં લાગે છે. ભારતીયોને રામાયણના એ પ્રસંગની ઊંડી જાણકારી છે, તેની અસર છે અને એ આપણી સંસ્કૃતિની વિેશેષતા છે. સંકટમાં ભારત દુનિયાની સેવા એટલા માટે કરી શકે છે, કેમકે આપણે દવાઓ અને વેક્સિનને લઈને આત્મનિર્ભર છીએ. જેટલા આપણે આત્મનિર્ભર થઈશું, એટલા જ દુનિયાની અને માનવતાની સેવા કરી શકીશું.

    PMએ કહ્યું કે 23 વર્ષની પ્રિયંકા બિહારના સિવાનમાં રહે છે અને હિન્દી સાહિત્યની વિદ્યાર્થિની છે. તે દેશના 15 પ્રવાસન સ્થળો પર જવાના મારા સૂચનથી પ્રેરિત હતી. 1 જાન્યુઆરીએ તે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના પૈતૃક નિવાસસ્થાને ગઈ હતી. તેણે લખ્યું હતું કે દેશની મહાન વિભૂતિઓને જાણવામાં તેનું આ પ્રથમ કદમ હતું. આપનો આ અનુભવ અન્યોને પ્રેરિત કરશે.’

    ભારત આઝાદીની 75મી વર્ષગાંઠે અમૃત મહોત્સવ શરૂ કરવા જઈ રહ્યું છે. આઝાદી અને બિહારની વાત થઈ રહ્યું છે તો વધુ એક ટિપ્પણી કરવા માગીશ. મુંગેરના જયરામજીએ મને શહીદ દિવસ વિશે લખ્યું. 15 ફેબ્રુઆરી, 1932ના રોજ અંગ્રેજોએ વીરોની ટોળીની જ હત્યા કરી દીધી હતી. તેમનો અપરાધ હતો કે તેઓ વંદેમાતરમ અને ભારત માતાની જયના નારા લગાવી રહ્યા હતા. હું જયરામજીને ધન્યવાદ આપવા માગું છું કે તેઓ એવી ઘટનાને દેશની સામે લાવ્યા, જેના પણ એટલી ચર્ચા થઈ નથી, જેટલી થવી જોઈતી હતી.

    મોદીએ કહ્યું કે હું તમામ દેશવાસીઓ અને યુવાનોને આહ્વાન કરૂં છું કે દેશના સ્વતંત્રતા સેનાનીઓ વિશે લખો. તમારું લેખન આઝાદીના નાયકો પ્રત્યે ઉત્તમ શ્રદ્ધાંજલિ હશે. યંગ રાઈટર્સ માટે ઈન્ડિયા-75 અંતર્ગત એક પહેલ થઈ રહી છે. તેનાથી તમામ રાજ્યો અને ભાષાઓના યુવા લેખકોને પ્રોત્સાહન મળશે. દેશને નવા લેખકો મળશે. તેનાથી ભવિષ્યની દિશા નિર્ધારિત કરનારા થૉટ લીડર્સનું ગ્રૂપ પણ બનશે.

Download Our B K News Today App



Related News