પીએમ મોદી સીએમઓ દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરશે, રજાઓ અને મંજૂરીઓ અંગેના મહત્વપૂર્ણ નિર્ણયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-17 13:38:41
  • Views : 379
  • Modified Date : 2021-03-17 13:38:41

    આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે તેઓ બેઠક સાથે સંબંધિત દરેક પાસાની તૈયારીઓ કરી લીધી છે. જાહેર આરોગ્ય નિષ્ણાત અને ભારતીય તબીબી સંશોધન પરિષદ(ICMR)ના સલાહકાર ડો.સુનીલા ગર્ગે જણાવ્યું હતું કે રસીકરણ કવરેજ અને કોરોનાના વધતા જતા કેસો આ ક્ષણે ચિંતાનો વિષય બની ગયો છે. લોકોના મનમાં હજુ વેક્સિનેશનને લઈને ભય પ્રસરેલો છે, જેને કારણે રસીકરણનો કાર્યક્રમ ધીમો પડી ગયો છે. તો બીજી બાજુ, દેશમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો હોવાથી સંક્રમણની બીજી વેવનો પણ ભય રહેલો છે.

  બેઠકમાં આ બન્ને મુદ્દાઓ ઊભા થવાની સંભાવનાઓ રહેલી છે. સમીક્ષાના આધારે, રસીકરણ પ્રોગ્રામને સુધારવા માટે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો પણ આમાં લઈ શકાય છે. રસીકરણ અંગેના સરકારના સલાહકાર ડો.ગજેન્દ્રસિંઘે કહ્યું હતું કે આ બાબતની સમીક્ષા પછી વડાપ્રધાન પાસેથી પણ તેમને કેટલીક સૂચનાઓ અથવા ભલામણોની અપેક્ષા કરાઈ રહી છે, જેમાં વધુ રસીકરણ કેન્દ્રો ખોલવા અને રસી માટેની વયમર્યાદા 60થી 50 વર્ષ સુધી વધારવાનો ઉલ્લેખ પણ કરી શકાશે.

    દેશનાં અનેક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે. આ બેઠક બપોરે 12.30 વાગ્યે શરૂ થઈ ગઈ છે. જેમાં મમતા બેનર્જી અને છત્તીસગઢના CM ભૂપેશ બધેલ આમાં સામેલ થયા નથી. લગભગ 70 જિલ્લાઓ એવા છે કે જ્યાં 150 ટકાથી વધુની ઝડપે કોરોના કેસો વધ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થયો છે. મહારાષ્ટ્રમાં પણ કેસ લગભગ બમણી ઝડપે સામે આવી રહ્યા છે. 15 માર્ચના આંકડા મુજબ પંજાબ,ગુજરાત,છત્તીસગઢ,મહારાષ્ટ્રની હાલત સૌથી ખરાબ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર એવા રાજ્યો છે, જ્યાં રસીકરણ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન કોરોના મહામારીને કારણે તેમનાં રાજ્યોની પરિસ્થિતિ, રસીકરણ અને સંક્રમણને નિયંત્રણમાં લેવાના પ્રયત્નો અંગે મુખ્યમંત્રીઓનો પ્રતિસાદ લઈ શકે છે.

    દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરતાં પહેલાં પણ PM મોદીએ જાન્યુઆરીમાં મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ વખતે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા બેઠકનું આયોજન કરાયું છે, જેમાં તેઓ દેશભરમાં કોરોનાની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે કડક પ્રતિબંધો અંગે પણ નિર્ણય લઈ શકે છે.

Download Our B K News Today App



Related News