પતંજલિ ફૂડ્સ લિ.એ બજાર બંધ થયા બાદ ડિવિડન્ડની જાહેરાત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-14 13:13:35
  • Views : 106
  • Modified Date : 2024-03-14 13:13:35

સરળ શબ્દોમાં કહીએ તો કંપનીના કુલ નફામાં રોકાણકારોને આપવામાં આવતા શેરને ડિવિડન્ડ કહેવામાં આવે છે. ડિવિડન્ડ પ્રતિ શેરના આધારે આપવામાં આવે છે. એટલે કે, રોકાણકાર પાસે જેટલા વધુ શેર હશે તેના ડિવિડન્ડની રકમ જેટલી વધારે હશે. સતત સારા ડિવિડન્ડ રેકોર્ડ ધરાવતી કંપનીમાં રોકાણ સુરક્ષિત માનવામાં આવે છે.કંપનીએ 300 ટકા એટલે કે રૂપિયા 2 ની ફેસ વેલ્યુના શેર દીઠ રૂપિયા 6નું ડિવિડન્ડ આપ્યું છે. સરળ શબ્દોમાં કહીએ તો કંપનીએ શેર દીઠ રૂપિયા 6નું ડિવિડન્ડ આપ્યું છે. આ કંપની દ્વારા આપવામાં આવેલ બીજું સૌથી મોટો ડિવિડન્ડ છે. રેકોર્ડ ડેટ 21 માર્ચ નક્કી કરવામાં આવી છે. જેમના ખાતામાં પણ આ તારીખ સુધી શેર હશે. માત્ર તેમને જ ડિવિડન્ડનો લાભ મળશે.અગાઉ કંપનીએ સપ્ટેમ્બર 2023માં કંપનીના ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપ્યું હતું. સપ્ટેમ્બર 2022માં રૂપિયા 5 અને વર્ષ 2007માં રૂપિયા 2.4 પ્રતિ શેરનું ડિવિડન્ડ આપ્યું હતું.શેરબજારને આપેલી માહિતીમાં પતંજલિ ફૂડ્સે જણાવ્યું કે, બોર્ડની બેઠકમાં શેર દીઠ રૂપિયા 6ના વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપવામાં આવી છે. કંપનીના ફાઈલિંગ મુજબ, બોર્ડ મીટિંગ સાંજે 5 વાગ્યે શરૂ થઈ હતી અને સાંજે 5.50 વાગ્યે પૂરી થઇ છે. નોંધનીય છે કે બાબા રામદેવની કંપનીએ સપ્ટેમ્બર 2023માં 6 રૂપિયાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી હતી. બાબા રામદેવે વર્ષ 2023 માટે પોતાની બિઝનેસ પ્લાન સમજાવતી વખતે કહ્યું હતું કે તેમણે આગામી પાંચ વર્ષમાં FMCG સેક્ટરની સૌથી મોટી કંપની બનવા માટે વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે.ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં પતંજલિ ફૂડ્સનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે રૂ. 269.2 કરોડથી ઘટીને રૂ. 216.5 કરોડ થયો હતો. કંપનીની ઓપરેટિંગ આવકમાં 0.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વાર્ષિક ધોરણે તે રૂ. 7926.6 કરોડથી ઘટીને રૂ. 7910.7 કરોડ થયો હતો. ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના ઓપરેટિંગ નફામાં 6.5 ટકાનો ઘટાડો થયો હતો. આ રૂ. 344.1 કરોડ હતો. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તે રૂ. 367.9 કરોડ હતો. બુધવારેપતંજલિ ફૂડ્સનો શેર 3.84 ટકા ઘટીને રૂ. 1325 પર બંધ થયો હતો. તે જ સમયે, છેલ્લા પાંચ દિવસમાં પતંજલિ ફૂડ્સના શેરમાં 15.20 ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે, પતંજલિ ફૂડ્સના શેરે છેલ્લા છ મહિનામાં 1.08 ટકા અને છેલ્લા એક વર્ષમાં 39.12 ટકા વળતર આપ્યું છે. પતંજલિ ફૂડ્સનું માર્કેટ કેપિટલાઇઝેશન 48.67 હજાર કરોડ રૂપિયા છે.

Download Our B K News Today App



Related News