કર્ણાટકમાં ફસાયેલા બનાસકાંઠાના ૩૦ છાત્રો પરત ફર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-29 12:16:43
  • Views : 518
  • Modified Date : 2020-04-29 12:16:43

કોરોના વાયરસના કહેર વચ્ચે બનાસકાંઠા જિલ્લાના અનેક છાત્રો વિદેશ તેમજ અન્ય રાજ્યોમાં ફસાઈ ગયા છે. જેઓ પોતાના વતનમાં પરત આવવા માટે સરકારને વિનંતી કરી રહ્યા હતા. ત્યારે કર્ણાટકમાં ફસાયેલા બનાસકાંઠાના ૩૦ જેટલા છાત્રો વતનમાં પરત ફરતા તેમના
પરિવારજનોમાં આનંદ પ્રસરી ગયો છે. જેમને વતનમાં લાવવા બનાસકાંઠા સાંસદની રજૂઆતથી કર્ણાટક રાજ્યપાલે ત્વરિત વ્યવસ્થા કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં છાત્રો ચાઈના સહિતના દેશ તેમજ દેશના અન્ય રાજ્યોમાં અભ્યાસ અર્થે ગયા હતા. જોકે, કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવતા મોટાભાગના છાત્રો જે તે સ્થળે ફસાઈ ગયા છે. પોતાને વતનમાં પરત લાવવા માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે. જ્યાં કર્ણાટકમાં ફસાયેલા છાત્રોએ પણ પોતાને વતનમાં પરત લાવવા માટે બનાસકાંઠા સાંસદ પરબતભાઇ
પટેલનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. આથી સાંસદે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાને પત્ર લખતા તેમણે ત્વરિત વ્યવસ્થા કરી હતી. બનાસકાંઠા તેમજ ગુજરાતના છાત્રોનું સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરી સોશિયલ ડિસ્ટન્સ સાથે ત્રણ બસોમાં તેમના વતનમાં મોકલ્યા હતા. જેના પગલે આ છાત્રોના પરિવાજનોમાં આનંદ પ્રસરી ગયો હતો.

Download Our B K News Today App



Related News