શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનાસકાંઠામાં રણની કાંધીએ આવેલું પાડણનું મૂળેશ્વર મહાદેવનું મંદિર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 11:48:06
  • Views : 821
  • Modified Date : 2020-07-29 11:48:06

સુઇગામ તાલુકાના છેવાડાના પાડણ ગામથી
પશ્ચિમમાં તળાવના કિનારે આવેલ ઐતિહાસિક મૂળેશ્વર મહાદેવનું મંદિર છે. આ મંદિર દસમા સૈકામાં મૂળરાજ સોલંકીએ બંધાવ્યું હોવાનું કહેવાય છે. માન્યતા મુજબ અહીં છૂટી ફરીને ચરતી ગાયો પૈકી એક ગાયનું દૂધ દરરોજ કોઈ દોહી જતું હોવાથી એક વખત ગોવાળે ગાયનો છુપી રીતે પીછો કરેલ. તે સમયે ગાયના આંચળમાંથી જમીન
પર દૂધની સેરો છૂટતી જોઈ ગોવાળ હેરત પામી ગયેલ.  આ અંગેની વાત ગામમાં જઇ કરતાં બુદ્ધિજીવી માણસોએ વિચાર્યું કે નક્કી આ જગ્યા પર શિવલિંગ હોવું જોઈએ.  ગામલોકોએ તે સ્થળે ખોદતાં ૭ ફૂટ નીચેથી સ્વયંભુ શિવલિંગ નીકળ્યું હતું.
જેનું ૧૨૫૦ વર્ષ પહેલાંની પુરાણી કહેવત મુજબ પાટણ  રાજવી મૂળરાજ સોલંકી વારંવાર બાદશાહ સામે હારતો હતો. ત્યારે તે હતાશ થઈ જતા માતાજીને પ્રાર્થના કરી  "હે.. માતાજી હું તમારો ભક્ત છું તેમ છતાં મારી કેમ બાદશાહ સામે વારંવાર હાર થાય છે. ત્યારે માતાજી પ્રશ્ન થઈને
સપનામાં કીધું કે બાદશાહ પણ મારો પરમ ભક્ત છે. તેથી તારે તેની સામે જીતવું હોયતો પવિત્ર જગ્યાએ શિવની ભક્તિ કર. તો ચોકકસ તારી જીત થશે.  ત્યારે મૂળરાજ સોલંકી ફરતા -ફરતા ભારત- પાકિસ્તાન બોર્ડર નજીક આવેલ પાડણ શિવલિંગ પવિત્ર છે.  તે વાતની ખબર
પડી.  ત્યાં આવી  પૂજા- અર્ચના આરતી કરતા સમય જતાં મૂળરાજ સોલંકીએ બાદશાહ સામે યુદ્ધ કર્યું અને તેમાં મૂળરાજ સોલંકીનો વિજય થતા ખુશીમાં અને ભક્તિમય બનતા પાટણ મૂળરાજ સોલંકીએ ત્યાં વિશાળ શિવાલય બનાવડાવ્યું, અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા કરાવતાં શિવાલયનું નામ મૂળેશ્વર મહાદેવના નામે પ્રસિદ્ધિ પામ્યું.  સમય જતાં કહેવાય છે કે, સુઇગામના રાજા ના વહીવટદારોના ત્રાસથી
પીડિત પાડણના રાજા પટેલ નામના ખેડૂતે અહીં કમળપૂજા કરતાં આગલા જન્મે સુઇગામના રાજઘરામાં તેમનો જન્મ થયેલો અને પૂર્વ જન્મની નિશાનીઓ બહાર કાઢી પ્રમાણ પણ આપેલ. જેઓ રાયસિંગજી ચૌહાણ તરીકે ખ્યાતિ પામ્યા અને આજીવન દરરોજ મૂળેશ્વર મહાદેવની પૂજા કરી હતી.
શ્રદ્ધાળુઓના જણાવ્યા મુજબ મૂળેશ્વર મહાદેવના અનેક પરચા છે.  સરહદી વિસ્તારના લોકોમાં આસ્થાનું કેન્દ્ર ગણાતા મૂળેશ્વર મહાદેવના  મંદિરે ભક્તોનો ઘસારો રહે છે. આજે પણ સરહદી પંથકના ખેડૂતોના પશુ વિયાય ત્યારે પહેલું આથણું મંદિરમાં આવી ચડાવી જાય છે અને પછી પશુ પાલકો દૂધ ભરાવે અને પીવે છે. શ્રાવણ માસમાં દરરોજ ભક્તો વિશાળ સંખ્યામાં દર્શન કરવા આવે છે, અને  પૂજા કરી માનેલી માનતાઓ ભગવાન મૂળેશ્વર
પૂરી કરે છે. તેવી લોકોની પ્રબળ આસ્થા જોડાયેલી છે.

Download Our B K News Today App



Related News