બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ- વાવાઝોડાની આગાહીને પગલે એન.ડી.આર.એફ.ની ટીમ તૈનાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-18 11:29:36
  • Views : 484
  • Modified Date : 2019-06-18 11:29:36

વાયુ વાવાઝોડાએ યુ ટર્ન લેતાં કચ્છમાં દસ્તક દીધી છે. જેની અસર પાડોશી બનાસકાંઠા જિલ્લામાં થવાની હોઇ બે દિવસ દરમિયાન ભારે વરસાદ સાથે વાવાઝોડાની આગાહી
આપવામાં આવી છે. જેના
પગલે આવનારી આપત્તિને
પહોંચી વળવા વહિવટીતંત્ર દ્વારા આગોતરી બચાવ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં જિલ્લા મથક પાલનપુર ખાતે એન. ડી. આર. એફ.ની ટીમ તૈનાત કરવામાં આવી છે. જે ટીમ ત્રણ દિવસ સુધી રોકાણ કરશે. કચ્છ ઉપર ત્રાટકનારા વાયુ વાવાઝોડાની અસર બનાસકાંઠા જિલ્લામાં થનાર હોઇ
વહિવટીતંત્ર દ્વારા સંભવિત ખતરાને પહાંચી વળવા માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં જિલ્લા કલેકટર સંદિપ સાંગલે દ્વારા તમામ અધિકારીઓને તેઓની કચેરીને લગતી કામગીરી અંગે જરૂરી તકેદારી રાખવા તથા કોઇ જાનહાની, માલહાની ન થાય તે માટે તકેદારીના તમામ આગોતરા પગલાં લેવા સાથે પરવાનગી વગર કોઇપણ અધિકારીએ હેડકવાર્ટસ નહી છોડવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ભારે વરસાદ અને વાવાઝોડાની આપત્તિને
પહાંચી વળવા માટે એન. ડી. આર. એફ.ની ટીમ તૈનાત કરવામાં આવી છે.  આ ટીમ
પાલનપુર ખાતે ત્રણ દિવસ સુધી રોકાણ કરશે. કુદરતી આપત્તિ સમયે તે વિસ્તારમાં જઇ બચાવ કામગીરી કરશે. ટીમ હોડી સહિતના આધુનિક ઉપકરણો સાથે સજ્જ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News