જુઓ કેવી રીતે પ્લેન ક્રેશ થયું? અજિત પવારના પ્લેન ક્રેશની ઘટનાના CCTV આવ્યા

  • Published By : Yogesh
  • Published Date : 2026-01-28 15:59:54
  • Views : 41
  • Modified Date : 2026-01-28 15:59:54

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારને લઈ જઈ રહેલા વિમાનનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે થોડીક જ સેકન્ડોમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ જાય છે અને આગના ગોળામાં ફેરવાઈ જાય છે. સામે આવેલા સીસીટીવી ફૂટેજ સ્પષ્ટપણે દેખાય છે કે વિમાન જમીન પર પડી રહ્યું છે અને આકાશમાં અચાનક આગનો ગોળો દેખાય છે. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચના મોત થઈ ગયા. વીડિયોમાં સવારે 8:46 વાગ્યે વિમાન ક્રેશ થતું દેખાય છે.

અજિત પવાર તેમના ગૃહ ક્ષેત્ર બારામતી પહોંચવાના હતા, પરંતુ નિયતિની યોજના કઈક જુદી જ હતી. અજિત પવારનું વિમાન ક્રેશ થઈ ગયું. કહેવાઈ રહ્યું છે કે વિમાન ખરાબ હવામાનને કારણે ક્રેશ થઈ ગયું. દુર્ઘટના પછી તરત જ નજીકના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા, પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું. તેમાં સવાર તમામ પાંચ લોકોના મોત થયા હતા. વિમાન બે ભાગમાં તૂટી ગયું હતું. આ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ મૃતકોના મૃતદેહ સંપૂર્ણપણે બળી ગયા હતા.

વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે?

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે વિમાન જમીન પર પડતાની સાથે જ કાળા ધુમાડા સાથે આકાશમાં આગના ગોટા જોવા મળ્યા. ઘટનાસ્થળની નજીકમાં જ એક રસ્તો હતો. વિમાન સંપૂર્ણપણે ટુકડા થઈ ગયું હતું. ઘટનાસ્થળે કાગળો અને ઘણી ફાઇલો પડી હતી. અકસ્માતને કારણે મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હતા. મૃતદેહને અકસ્માત સ્થળથી બારામતીની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News