વડગામમાં પાંચ દિવસથી પાણી નહીં મળવાને લઈ લોકોમાં રોષ ફેલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-03 18:00:12
  • Views : 63
  • Modified Date : 2024-06-03 18:00:12

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાના અંતમાં પણ પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વડગામમાં પાંચ દિવસથી પાણી નહીં મળવાને લઈ લોકોમાં રોષ ફેલાયો છે. વડગામના લોકો પાંચેક દિવસથી પાણી વિના વલખાં મારી રહ્યા છે. જેને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.સ્થાનિક લોકોએ અનેક વાર રજૂઆતો કરવા છતાં પાણીની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. અનેક વાર રજૂઆતો કરી છે, છતાં પાણીની સમસ્યાથી રાહત મળી રહી નથી. સ્થાનિક લોકો પણ પાણી માટે દૂર દૂર સુધી રઝળે છે અને દૂરથી પાણીની ભરી લાવવા માટે મજબૂર બની રહ્યા છે.

Download Our B K News Today App



Related News