મણિપુરમાં શાહે કહ્યું- જનતાના દિલની વાત સમજવામાં મોદીજી જેવું બીજું કોઈ નહીં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 14:42:49
  • Views : 214
  • Modified Date : 2020-12-27 14:42:49

    ગૃહમંત્રી અમિત શાહે રવિવારે મણિપુરમાં IIT અને મેડિકલ કોલેજનો શિલાન્યાસ કર્યો. અહીં જાહેર સભાને સંબોધિત કરતા શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંયાના લોકોને કહ્યા વિના ઇનર પરમિટ આપવામાં આવી છે. જનતાના દિલની વાત સમજવા માટે તેમના જેવું બીજું કોઈ નથી. શાહે કહ્યું કે પહેલા અહીં પૂર આવતું હતું, હવે વિકાસ થઈ રહ્યો છે.અમિત શાહે કહ્યું કે પહેલા લોકોને આજીવિકાની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. અનેક દિવસો સુધી બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાતા હતા. જ્યારથી અમારી સરકાર બની છે, મણિપુર બંધ નથી થયું. 2014માં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે બંને હાથ મજબુત હોવા જોઈએ અને નોર્થ-ઇસ્ટ બીજો હાથ છે.

    શાહે કહ્યું હતું કે અગાઉ મણિપુરના કાયદો અને વ્યવસ્થાની ચર્ચા થતી હતી, પરંતુ ભાજપ સરકાર બન્યા પછી મણિપુર વિકાસના માર્ગ પર ચાલી રહ્યું છે. અમે તમને કહ્યું હતું કે એક વાર સંપૂર્ણ બહુમતી સાથે અમને તમારી સેવાની તક આપીને જુએ. અમે આપણાં વિશ્વાસને ટકાવી રાખવા પૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ. છેલ્લા ત્રણ વર્ષમાં, અમે મણિપુરનો ચહેરો બદઌ દીધો છે.અમિત શાહે વધુમાં કહ્યું કે, સમગ્ર નોર્થ-ઈસ્ટ મોદીજીના દિલમાં વસે છે. વડાપ્રધાન 40થી વધુ વખત મણિપુરની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમણે રાજ્યને સિંચાઈ યોજના આપી. અમે રાજ્યને હોસ્પિટલ અને મેડિકલ કોલેજ આપીશું. અહીંનાં બાળકો ડોક્ટર બનશે. અમારી સરકાર પૂર્વ ભારતના વિકાસ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.




Download Our B K News Today App



Related News