કાલથી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી: રાજ્યમાં હવે 15 જૂન પછી નૈઋત્યના ચોમાસાનું આગમન થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-22 11:48:19
  • Views : 432
  • Modified Date : 2021-05-22 11:48:19

    ગુજરાતમાં તાઉ તે વાવાઝોડા બાદ ફરી ગરમીનો પ્રકોપ વધ્યો છે. જેના કારણે મોટાભાગના શહેરોમાં ઉકળાટ તેમજ બફારો વધતા લોકો પરશેવે રેબઝેબ થવા લાગ્યા છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 15થી 20 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા છે. ગત વર્ષે ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અંદાજે 44.77 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે હાલમાં લોકો ક્યારે વરસાદ શરૂ થાય અને આ ઉકળાટથી રાહત મળે તેની રાહ જોઈ રહ્યા છે.

    હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 27મેથી 2 જૂનની વચ્ચે નૈઋત્યના ચોમાસાનું કેરળમાં આગમન થઈ શકે છે. જ્યારે 22મેથી આંદમાનના સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવવાનું શરૂ થઈ શકે છે. અને આગામી 26મે સુધીમાં ઓડિશા-પશ્ચિમ બંગાળ પાસે પહોંચી શકે છે. એટલે આ સ્થિતિને જોતા એવું માની શકાય કે ગત વર્ષ કરતા નૈઋત્યના ચોમાસાનું આ વર્ષે વહેલું આગમન કરી શકે છે.

    પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 23 અને 24 મેના રોજ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ડાંગ, તાપી, આણંદ, પંચમહાલ, ખેડા, ભાવનગર, અમરેલીમાં મેઘમહેર જોવા મળશે. અમદાવાદમાં આજે 36 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યભરમાં આગામી 4-5 દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં વધુ ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે.હવામાન વિભાગે તેમના અંદાજમાં આ વર્ષે અલ નીનો અથવા લા નીનોની કોઈ અસર જોવા મળશે નહીં. તેમણે દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ આપ્યો છે. હવામાન વિભાગે મેમાં સમગ્ર સીઝન સિવાય જૂન અને સપ્ટેમ્બરનો માસિક અંદાજ જાહેર કર્યો છે.

    હવામાન વિભાગે પહેલાં પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે ચોમાસાનો અંદાજ જાહેર કર્યો છે. સ્કાઈમેટે આ વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ જાહેર કર્યો છે. પરંતુ તેમણે આ વર્ષે લોંગ ટર્મ એવરેજ 103 ટકા સુધી વરસાદ થવાનો અંદાજ રજૂ કર્યો છે.IMDએ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં બે વાર ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય કરતાં વધારે રહ્યો હતો. તેની સરખામણીએ આ વખતે વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.

    ​​​​​​​મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રેટરી માધવન રાજીવને કહ્યું કે, જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ છે. તેઓ તેમના લોંગ ટર્મ એવરેજના 98 ટકા બરાબર રહી શકે છે અથવા 5 ટકા ઉપર નીચે રહેવાની શક્યતા છે.પરિભાષા પ્રમાણે ચોમાસાની સિઝનનું લોંગટર્મ એવરેજ 1961થી 2010 વચ્ચે 88 સેન્ટીમેન્ટર રહ્યું હતું. રાજીવને જણાવ્યું કે, હવામાન વિભાગ માસિક અંદાજે જાહેર કરવા માટે હવે સાંખ્યિકી આંકડાઓની જગ્યાએ ડાયનેમિક મલ્ટી મોડલ એન્સેંબલ (MME) ફ્રેમવર્ક યુઝ કરે છે.​​​​​​​ રાજીવને જણાવ્યું કે, જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિનાનો માસિક અંદાજ આ જ સિસ્ટમનો ઉપયોગ કરીને મેના અંતિમ સપ્તાહમાં તૈયાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, IMD મોનસૂન કોર ઝોન (MCZ) માટે અલગથી અંદાજ આપવા માટે એક મોડલ બનાવી રહ્યા છે. MCZ માટે આપવામાં આવેલો અંદાજ કૃષિ પ્રધાન રાજ્યોમાં લોકો માટે ખેતી-વાડીની યોજના બનાવવા માટે મદદગાર છે.




Download Our B K News Today App



Related News