બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખેડૂતોનું આંદોલનનું રણશિંગુ ફૂંકાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-29 11:23:26
  • Views : 281
  • Modified Date : 2022-04-29 11:23:26

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખેડૂતોનું આંદોલનનું રણશિંગુ ફૂંકાયું.

 

આખા ત્રીજના દિવસે તો મોટી સંખ્યામાં દિયોદરની પ્રાંત કચેરી ખાતે યોજશે ધરણાં..

 

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખેડૂતો સુજલામ સુફલામ માં પાણી છોડવાની માગ સાથે એકવાર ફરી આંદોલનનું રણશિંગુ ફૂંકાયું છે અખાત્રીજના દિવસથી જ ખેડૂતો મોટીસંખ્યામાં દિયોદરની પ્રાંત કચેરી ખાતે ધરણા યોજશે...

 

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પોકાર ઉઠવા પામેલ છે ત્યારે ચાલુ સાલે અગાઉ પણ ખેડૂતો પાણીની માંગને લઈને આંદોલન છેડાયું હતું પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને પાણી છોડવાની માંગ સ્વીકારી અને 10 દિવસ માટે પાણી આપવાની વાત કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. સરકાર દ્વારા સુજલામ સુફલામ માં 10 દિવસ માટે પાણી છોડવાની વાત કરાઈ હતી અને માત્ર 8 દિવસ માટે જ સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાયું હતું અને પછી બંધ થઈ જતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે આજે ખેડૂતો એકતા થઈને ફરી બનાસકાંઠા જિલ્લામાં પાણી લઈને આંદોલનનું રણશિંગુ ફૂંકાયું હતું અખાત્રીજના દિવસથી જ ખેડૂતો દિયોદરની પ્રાંત કચેરી ખાતે ધરણા યોજી પાણીને લઇને આંદોલન શરૂ કરવામાં આવશે તેમજ ખેડૂતોએ જણાવ્યું હતું કે સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન અપાય તો આગામી સમયમાં આવનારી ચૂંટણી ની ખેડૂતો સંપૂર્ણપણે બળાત્કારની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ની પાણીની માગ સરકાર સ્વીકારે છે કે કેમ તે તો આવનારો સમય બતાવશે

Download Our B K News Today App



Related News