કોરોનાના 14 દર્દી સહિત અગ્નિકાંડે 26નો જીવ લીધો, ઓનલાઇન શિક્ષણે વાલી-વિદ્યાર્થીઓની માનસિક-આર્થિક સ્થિતિ બગાડી, સુનિતા યાદવથી લઈ MP-MLA આવ્યાં વિવાદમાં.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-12-28 10:59:06
- Views : 273
- Modified Date : 2020-12-28 10:59:06
કોરોના મહામારીને કારણે સમગ્ર દુનિયા માટે વસમું સાબિત થયેલા વર્ષ 2020ની વિદાય આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે સૌકોઈ વર્ષ 2020માં જીવનમાં અને દેશ-દુનિયાએ શું ગુમાવ્યું અને શું મેળવ્યુંનાં લેખાંજોખાં કરવામાં લાગી ગયા છે. ત્યારે ગુજરાત માટે આ વર્ષ કોરોનાના હાહાકારની સાથે સાથે અગ્નિકાંડોને લઈ પણ ઘણું કપરું રહ્યું છે તેમજ આ વર્ષ દરમિયાન રાજ્યમાં ઘણી વિવાદાસ્પદ ઘટનાઓ બની છે, જેણે લોકોમાં ખૂબ ચર્ચાઓ જગાવી હતી. આજે 2020માં બનેલી આવી જ કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ અંગે DivyaBhaskar તમને જણાવી રહ્યું છે.
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી, જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીનાં મોત થયાં હતાં. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થતો હતો. આ આગ હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી.25 ઓગસ્ટે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિકલ ICU વિભાગમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગી હતી. આ ICU વિભાગમાં 9 દર્દી સારવાર લઈ રહ્યા હતા. આગ લાગતાં જ 4 ફાયરફાઈટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને આગને કાબૂ લીધી હતી તેમજ સ્થાનિકોએ ICUમાં રહેલા દર્દીઓને બારીમાંથી બહાર કાઢ્યા હતા.8 સપ્ટેમ્બરે વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતાં ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યાર બાદ ફાયરબ્રિગેડે કોરોના વોર્ડમાં ફસાયેલા કોરોનાના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે જાનહાનિ ટળી હતી.
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. ત્યાર બાદ એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું.4 નવેમ્બરે અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આ બ્લાસ્ટની આસપાસનાં 9 ગોડાઉનને અસર થઈ હતી, જ્યારે કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. આ 9 ગોડાઉનમાં 25 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી 7 પુરુષ અને 5 મહિલા સહિત 12નાં મોત થઈ ગયાં હતા, જેમાં એક દંપતીનું મોત થતાં તેનાં દીકરો-દીકરી અનાથ થઈ ગયાં છે.
ગુજરાતમાં કોરોનાને કારણે 19 માર્ચથી સ્કૂલો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે, જેને કારણે ગામડાંમાં રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓની માનસિક સ્થિતિ બગડી રહી છે. ગામડામાં બાળકો પાસે નથી સ્માર્ટ ફોન કે નથી ઈન્ટરનેટ. આમ છતાં જબરદસ્તીથી ભણાવવામાં આવે તો શિક્ષકો સાથે વાલીઓ પણ અસમંજસમાં મુકાઈ ગયા છે. ગામડાંમાં રહેલા વાલીઓ કહે છે કે બાળકો મોબાઇલ કે ટીવીમાં ભણતાં નથી. તેમને તેમની આંખો બગડે એની ચિંતા છે. ગામડાંમાં રહેતા ગરીબ કે સાધારણ સ્થિતિના વાલીઓની એવી પણ ફરિયાદ છે કે અત્યારની સ્થિતિમાં ખાવાના પૈસા નથી ત્યાં આવા મોબાઈલ અને ઈન્ટરનેટના ખર્ચા કેવી રીતે પોષાય. આવી રીતે ભણાવવાથી કઈ બાળકોનું ભવિષ્ય બનવાનું નથી. બાળકો પણ કહે છે કે ઓનલાઇન શિક્ષણ ગમતું જ નથી.10 ઓગસ્ટે રાજકોટમાં માસ્ક મુદ્દે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને પોલીસે અટકાવતા તકરાર થઇ હતી. રવીન્દ્ર જાડેજા અને તેના પત્ની રિવાબા જાડેજાએ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હતી. સમગ્ર દેશમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું કડકાઇથી પાલન કરાવવામાં આવી રહ્યું છે. તેવામાં રાજકોટમાં માસ્ક મુદ્દે અટકાવતા રવીન્દ્ર જાડેજા અને પોલીસ વચ્ચે તકરાર થઈ હતી. રિવાબા જાડેજા પણ સાથે હતા. જો કે ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
લોકડાઉન પહેલા રાજ્યસભાની ચૂંટણી 26 માર્ચે યોજાવાની હતી. આ તારીખો જાહેર થતાં અને રાજ્યમાં ભાજપ તરફથી કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનું રાજકારણ શરૂ કરવામાં આવતા જ પ્રદેશ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને ભાજપના તોડજોડના રાજકારણથી બચાવવામાં સફળ રહી હતી. કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને કોંગ્રેસશાસિત રાજ્ય રાજસ્થાનના જયપુરના શિવ રિસોર્ટમાં સુરક્ષિત રાખવા(ભાજપથી બચાવીને રાખવા)માં સફળ રહી હતી. પરંતુ ચૂંટણી રદ થઈને જ્યારે જૂનમાં યોજાઈ ત્યારે ધારાસભ્યોને સાચવવા માટે સૌરાષ્ટ્રનાં 18 ધારાસભ્યોને રાજકોટના નીલસિટી ક્લબ ખાતે રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ તમામ ધારાસભ્યોને ગઢડા અને ધારી લઈ જવાયા હતા.21-22 ઓગસ્ટે સી.આર.પાટીલે સૌરાષ્ટ્રમાં અનેક રેલી યોજી હતી. આ રેલીમાં જોડાયેલા રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ રેલીનો રેલો રાજ્યસભાના સાંસદ સુધી પહોંચ્યો હતો. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેના પુત્ર અંશ ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી અભય ભારદ્વાજનું કોરોનાથી મૃત્યુ થઈ ગયું હતું. ત્યાર બાદ રાજકોટના મેયર બીનાબેન આચાર્ય પણ કોરોના સંક્રમિત થયા હતા.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રીને પત્રો લખીને સતત વિવાદમાં રહે છે. તેઓ ક્યારેક અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે તો ક્યારેક લવ જેહાદનો કાયદો બનાવવા માગ કરે છે. તેમણે ગત મે મહિનામાં સીએમ વિજય રૂપાણને પત્ર લખીને અધિકારીઓ અને પદાધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યાં હતા. જેમાં લખ્યું હતું કે, ‘અધિકારીઓ, પદાધિકારીઓ અને વચેટીયા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે, ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે’ ત્યાર બાદ તાજેતરમાં લવ જેહાદનો કાયદો બનાવવા પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું કે, રૂપાણીસાહેબ, ગુજરાતની આદિવાસીપટ્ટીની યુવતીઓ વેચાઈ રહી છે, મહેરબાની કરીને લવ-જેહાદનો કાયદો બનાવો ને દીકરીઓને બચાવો’.
30 સપ્ટેમ્બરે રાજ્ય સરકારે ખાનગી શાળા સંચાલક મંડળ અને વાલી મંડળ સાથે બેઠક કરી વાલીઓને ફીમાં 25%ની રાહત આપી હતી. જેનો વાલીઓએ વિરોધ કર્યો હતો. તેમજ વાલી મંડળે સરકારના નિર્ણયની હોળી કરવા સાથે આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારે ખાનગી શાળા સંચાલકોને સાચવી લીધા છે. તે સાથે વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે અમારી માંગ 50 % ફી માફીની હતી. પણ રાજ્ય સરકારે તે સ્વીકારી નથી. ખાનગી શાળાના સંચાલકો પહેલેથી 25 % ફી માફની જાહેરાત કરી હતી. આમ વાલીઓની રજૂઆત તો સરકારે સાંભળી જ નથી અને સંચાલકે જે રજૂઆત કરી હતી તે સરકારે સ્વીકારી હતી.વિવાદિત નિવેદનો માટે જાણીતા વાઘોડિયાના બાહુબલી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આ વર્ષે પણ વિવાદો કર્યા છે. કોરોનામુક્ત થયા બાદ 19 સપ્ટેમ્બરે મધુ શ્રીવાસ્તવે ગાજરાવાડી હનુમાન મંદિરમાં માસ્ક પહેર્યા વગર સમર્થકો સાથે ડાન્સ કર્યો હતો અને કોરોનાની ગાઇડ લાઈનના ધજાગરા ઉડાડ્યા હતા. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સનાતન ધર્મમાં એવું ક્યાંય લખ્યું છે કે પોતાના મંદિરની અંદર મોઢું બાંધીને પૂજા કરવી ? આ માટે કોઈ કાયદામાં આવી જોગવાઈ નથી.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રીને પત્રો લખીને સતત વિવાદમાં રહે છે. તેઓ ક્યારેક અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે તો ક્યારેક લવ જેહાદનો કાયદો બનાવવા માગ કરે છે. તેમણે ગત મે મહિનામાં સીએમ વિજય રૂપાણને પત્ર લખીને અધિકારીઓ અને પદાધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યાં હતા. જેમાં લખ્યું હતું કે, ‘અધિકારીઓ, પદાધિકારીઓ અને વચેટીયા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે, ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે’ ત્યાર બાદ તાજેતરમાં લવ જેહાદનો કાયદો બનાવવા પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું કે, રૂપાણીસાહેબ, ગુજરાતની આદિવાસીપટ્ટીની યુવતીઓ વેચાઈ રહી છે, મહેરબાની કરીને લવ-જેહાદનો કાયદો બનાવો ને દીકરીઓને બચાવો’.
`અમદાવાદમાં 23 જૂનના રોજ અષાઢી બીજ નિમિત્તે યોજાનારી જગન્નાથ રથયાત્રા 143 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મહામારી કોરોનાને કારણે ભગવાન જગન્નાથજીએ નગરચર્યાએ જવાને બદલે મંદિરમાં જ પરિક્રમા કરી હતી. બપોર બાદ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. સવારથી મર્યાદિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતાં. ભક્તોએ ઘરે બેઠા જ ભગવાનના દર્શન કર્યાં હતા.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 44
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 175
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 158
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 67
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 140
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 83
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 114
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 70
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 59
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 121
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 60
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 53
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 61
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 114
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



