છેલ્લા પાંચ વર્ષથી ઓછા વરસાદના કારણે બેહાલ થયેલા ખેડૂતો આ વર્ષે જિલ્લાના મુખ્ય જળાશયો ભરાય તેવો વરસાદ પડે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-17 11:39:17
  • Views : 388
  • Modified Date : 2022-07-17 11:39:17


બનાસકાંઠા જીલ્લામાં મોડે મોડે ચોમાસુ હવે સક્રિય થયું છે ત્યારે જિલ્લાના ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.. છેલ્લા પાંચ વર્ષથી ઓછા વરસાદના કારણે બેહાલ થયેલા ખેડૂતો વર્ષે જિલ્લાના મુખ્ય જળાશયો ભરાય તેવો વરસાદ પડે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે..


બનાસકાંઠા જીલ્લામાં મોડે મોડે ચોમાસુ હવે સક્રિય : જિલ્લાના ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ


વર્ષ ૨૦૧૭માં બનાસકાંઠા જિલ્લાએ ખતરનાક પૂરનો સામનો કર્યો હતો.. પરંતુ ૨૦૧૭ બાદ બનાસકાંઠા જીલ્લામાં જોઈએ તેવું ચોમાસુ રહ્યું નથી.. અને તેના પરિણામ સ્વરૂપે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય અને શિપુ જળાશયના ખાલી ખમ થઈ ગયા છે.. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય જળાશય ખાલી થઈ જતાં બનાસકાંઠા જિલ્લાના ભૂગર્ભ જળસ્તર પણ ઊંડે ઉતરી ગયા છે અને હવે તેની અસર કૃષિ પર જોવા મળી રહી છે.. વર્ષની વાત કરવામાં આવે તો અત્યારે મેહુલિયો ગુજરાતને ઘમરોળી રહ્યો છે અને તેવામાં બનાસકાંઠા જીલ્લામાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ થયો નથી.. છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જીલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતો સારા વરસાદની આશ લગાવી રહ્યા છે.. ખેડૂતો  જણાવી રહ્યા છે કે વર્ષે એટલો વરસાદ થાય કે જિલ્લાના બંને મુખ્ય જળાશયો છલકાઈ જાય... અને તેનાથી આવનારા સમયમાં કૃષિને જીવનદાન મળે.જે અંતર્ગત આજે ડીસા તાલુકાના રાણપુર ગામમાં ખેડૂતોએ સારા વરસાદથી વાવેતરની શરૂવાત કરી છે.અને હજુપણ સારો  વરસાદ થાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી..

Download Our B K News Today App



Related News