ડાકોરના રણછોડરાય મંદિરમાં કાન્હાના દર્શન માટે ભક્તોનો ભારે ધસારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 10:40:10
  • Views : 700
  • Modified Date : 2019-08-24 10:40:10

કાન્હાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં પહોંચી રહ્યા છે. ભગવાન કૃષ્ણની 'કર્મભૂમિ' દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. શનિવારે રાતથી જ હજારોની સંખ્યામાં ભક્તોનું મંદિરમાં આગમન થયું. ગુજરાતમાં દ્વારકા ઉપરાંત ડાકોર, શામળાજી જેવા પૌરાણિક મહત્વ ધરાવતા તીર્થધામમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. વહેલી સવારે નાથની મંગલા આરતી થઈ હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મંદિરોમાં વહેલી સવારથી 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી', 'હાથી-ઘોડા-પાલખી જય કનૈયાલાલ કી'ના જયઘોષ સાથે ગૂંજી ઉઠ્યા હતામંગળા આરતી એટલે ભગવાન રણછોડનો સાક્ષાત્કાર. જ્યારે ડાકોરમાં ભક્ત બોડાણા રણછોડજીને ડાકોર લાવ્યા અને દ્વારકાના ગુગળી બ્રહ્માન અને રાજાએ ભક્ત બોડાણાને મોતને ઘાટ ઉતર્યા. સતી ગંગાબાઈની સવા વાલની વારીની તોલે તોલાય ત્યારે ગુગળી બ્રહ્માનની આજીજી બાદ ભગવાને સવારે ડાકોર અને સાંજે દ્વારકા રહેવાનું વચન આપેલું ત્યારથી ડાકોર મંગળા આરતીનું વિશેષ મહત્વ છે. મંગળા આરતીમાં સોનાની આરતીમાં છ રૂ ની દિવેટ સાથે કપૂર સાથે આરતી કરવામાં આવે છે. ભગવાનને પંચામૃત અને અભ્યંગ સ્નાન કરાવામાં આવે છે. નવા વસ્ત્રોનો અને વિશેષ રત્નોનો શણગાર કરવામાં આવે છે. બાકીની આરતી સામાન્ય આરતીની જેમ જ ઉતારવામાં આવે છે. જેમાં રાજભોગને મહત્વ અપાય છે.  આરતીમાં માત્ર દીવેટોથી આરતી કરવામાં આવે છે. સોનાની આરતી સાતમથી દસમ સુધી કરવામાં આવે છે. ડાકોરના ઠાકોર રણછોડજીને વહેલી સવરે ૬ -૪૫ વાગે મંગળા આરતી, ૯-૩૦ શણગાર આરતી, ૧૧-૩૦ વાગે રાજભોગ આરતી સાંજે 5 વાગે ઉત્થાપન આરતી અને ૬-૩૦ વાગે શયન આરતી કરવામાં આવશે. જે બાદ આજે ભગવાનના જન્મ બાદ કપૂર આરતી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News