અઢી કલાક વિસ્ફોટો થયા, 15 કલાક હાઇવે બંધ; 1 KM દૂર સુધી સિલિન્ડર્સના ટુકડા ઊડ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 15:01:06
  • Views : 5685
  • Modified Date : 2021-03-24 15:01:06

    ભીલવાડાથી પસાર થતા જયપુર-કોટા હાઇવે પર હનુમાનનગરમાં મંગળવારે રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ટીકડ ગામે વીજળી પડતાં હાઈવે ઉપરથી પસાર થતી ટ્રક પલટી ગઈ હતી. ટ્રકમાં 450 ઘરેલું ગેસ- સિલિન્ડર્સનો જથ્થો ભર્યો હતો. વીજળી પડતાં ટ્રક પલટી ગઈ હતી અને જેને કારણે તેમાં આગ લાગી હતી. આગ લાગવાને પરિણામે એમાં રહેલાં સિલિન્ડર્સ એક પછી એક ફાટવા લાગ્યાં હતાં. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એમાં રહેલાં તમામ સિલિન્ડરમાં એક પછી એક વિસ્ફોટો થયા હતા. અકસ્માતના લગભગ 15 કલાક પછી પણ NH-52 હાઈવે બંધ છે. બુધવારે સવારે કોટા, અજમેર અને જયપુર જતા મુસાફરોને રોકી દેવામાં આવ્યા હતા. તેમને ડાઇવર્ટ કરીને જહાજપુરથી બસોલીના વળાંકથી મોકલાયા હતા.

    બુધવારે સવારે ઘટનાસ્થળ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ગેસ કંપનીના કર્મચારીઓને પણ બોલાવાયા હતા. ત્યાર પછી આસપાસના વિસ્તારોમાંથી સિલિન્ડર્સના ટુકડાઓ એકત્રિત કરવાની કામગીરી કરાઈ રહી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા ટ્રકડ્રાઈવર અને ખલાસીની દેવલી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સિલિન્ડર ભરેલી ટ્રક નસીરાબાદથી કોટાના ભવાનીમંડી તરફ જઇ રહી હતી.

    રાત્રિના આઠ વાગ્યાની આસપાસ સુમારે ટીક ગામના વળાંક નજીક પસાર થઈ રહેલી ટ્રક પર ધડાકાભેર વીજળી પડી હતી,.જેને કારણે ટ્રક બેકાબૂ થઈને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ટ્રકમાં આગ ફાટી નીકળી હતી અને એમાં રહેલા સિલિન્ડર્સના જથ્થાઓમાં એક પછી એક આગ લાગવા માંડી હતી. આ અકસ્માતને પગલે હાઇવે, ટીકડ સહિતનાં ગામડાંમાં ખળભળાટ મચી ગયો હતો. વિસ્ફોટની સાથે સિલિન્ડર્સ એક કિલોમીટર દૂર ઊછળી રહ્યાં હતાં.


    દેવલીનગર પાલિકાના ફાયર વિભાગમાં કાર્ય કરતા દિનેશે કહ્યું હતું કે ઘટનાસ્થળથી લગભગ 150 મીટર દૂર ઊભા રહેવું પણ જોખમી હતું. ફાયરબ્રિગેડની ટીમ પણ ટ્રકની નજીક જઈ શકે તેવી પરિસ્થિતિમાં નહોતી. દુર્ઘટનામાં 35 વર્ષીય ટ્રકચાલક સતરાજ મીણા કોઈક રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. જોકે આગની જ્વાળાઓને પરિણામે ડ્રાઈવર શરીરના વિવિધ ભાગે દાઝી ગયો હતો.


Download Our B K News Today App



Related News