2-2 રૂપિયામાં પ્લાસ્ટિકમાં મળતી કોલ્ડડ્રિંક 7 બાળકોને ભરખી ગઈ, ડૉક્ટર્સે કર્યો મોટો દાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-15 12:23:38
  • Views : 324
  • Modified Date : 2022-04-15 12:23:38

સિરોહીના સરૂપગંજમાં 7 બાળકોના મોતથી તબીબી વિભાગમાં હોબાળો

મેડિકલ ટીમ બાળકોના મોતના કારણની તપાસમાં જોડાઈ

તબીબી વિભાગના અધિકારીઓએ પેપ્સી વેચવાની ના પાડી દીધી 

7 બાળકોના મોતથી તબીબી વિભાગમાં હોબાળો

તબીબી વિભાગના અધિકારીઓને બાળકોના પરિજનોએ જણાવ્યું કે બે રૂપિયાની પ્લાસ્ટિકનુમા પાઈપમાં વેચાતા પીણા પદાર્થ જેને સામાન્ય ભાષામાં પેપ્સી કહે છે, તેનુ સેવન કર્યા બાદ સવારે તબિયત બગડી ગઇ. ડૉ. રામસિંહ યાદવે જણાવ્યું કે રિપોર્ટના આધારે માની શકાય છે કે પાણીથી બનતા પદાર્થ જેમાં આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિન્ક અને અન્ય તરલ પદાર્થના સેવન પ્રથમ દ્રષ્ટિએ મોતનુ કારણ માનવામાં આવી રહ્યું છે. તબીબી વિભાગ દ્વારા ગામમાં અડધા ડઝનથી વધુ નાની-મોટી દુકાનોમાંથી પેપ્સીના સેમ્પલ લીધા અને તેને વેચવાની ના પાડી દીધી છે. 

 

ત્રણ બાળકોના મોત આ રીતે થયા

સવારથી પીડિત પરિવારના ઘર, મેડિકલ અને વહીવટી તંત્ર સહિત અન્ય ટીમો આવીને જાણકારી એકત્રિત કરી રહ્યાં છે. ગુરૂવારે સવારે અચાનક 2 બાળકોની તબિયત લથડી. જેઓને સરપંચ વિપેશ ગરાસિયા દ્વારા હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં. એક બાળકની સ્થિતિ ગંભીર છે. પીડિત પરિવારના સભ્ય તારારામ જણવાએ જણાવ્યું કે તેના પરિવારમાં ત્રણ બાળકોના મોત એકસાથે થયા છે. ત્રણ બાળકોને ઝડતા આવવી, લોહીની ઉલ્ટી થવી. મોતના કારણ અંગે તેમને કોઈ પણ પ્રકારની જાણકારી નથી.

 

Download Our B K News Today App



Related News