ઘડિયાળી પોળના વેપારીઓએ બંધ પાળીને નોંધાવ્યો વિરોધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-06 16:09:12
  • Views : 58
  • Modified Date : 2024-01-06 16:09:12

વડોદરામાં ઘડિયાળી પોળના વેપારીઓએ આજે બંધ પાળીને વિરોધ નોંધાવ્યો હતો. આ વેપારીઓનો આક્ષેપ છે કે તેમની સાથે હેરાનગતિ થાય છે. આ હેરાનગતિ ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા જ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ભાજપના પૂર્વ કોર્પોરેટર દબાણના બહાને વેપારીઓને પરેશાન કરતા હોવાનો આક્ષેપ વેપારીઓએ લગાવ્યો છે. 5 જાન્યુઆરીએ રાત્રે પણ ભાજપના પૂર્વ કોપોરેટર મિનેશ શાહે વેપારીઓ સાથે દાદાગીરી કરી હોવાનો વેપારીઓનો આક્ષેપ છે, ત્યારે વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. દબાણના નામે હેરાન કરાતા વેપારીઓમાં રોષ ફેલાયો છે.

Download Our B K News Today App



Related News