ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરાયો પરિપત્ર, ખોટી માહિતી ફેલાવનારની ખેર નહીં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-02 14:22:31
  • Views : 97
  • Modified Date : 2024-03-02 14:22:31

બોર્ડની પરીક્ષામાં ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. બોર્ડની પરીક્ષામાં અનેક લોકો પેપરલીકની ખોટી માહિતી ફેલાવતા હોય છે. ખોટી માહિતી ફેલાવનારાઓ સામે IPC અને IT ACT મુજબ કાર્યવાહી થશે.બોર્ડની પરીક્ષા પહેલા કેટલાક લેભાગુ તત્વો વાલીઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતી પ્રવૃત્તિ કરતા હોય છે. તેમની પાસે પ્રશ્નપત્ર આવી ગયુ હોવાની અથવા લીક થયુ હોવાની ખોટી માહિતી ફેલાવતા હોય છે. આ તત્વો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. અગાઉ આવા અનેક બનાવ બની ચુક્યા છે.આ સિવાય એવુ પણ બનતુ હોય છે કે પેપર પહોંચી ચુક્યુ હોય છે કે ફોટો પાડીને વાયરલ કરવામાં આવતો હોય છે. આ જ કારણ છે કે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 

Download Our B K News Today App



Related News