યુનિફોર્મ સિવિલ કોડને કેબિનેટની મંજૂરી; CMએ ટ્વીટ કરીને માહિતી આપી, ભાજપ નવી સરકારના ગઠન બાદ લાગૂ કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-29 17:45:16
  • Views : 242
  • Modified Date : 2022-10-29 17:45:16

 

આજે રાજ્યમાં ચૂંટણી પહેલાં છેલ્લી કેબિનેટની બેઠક મળી હતી. તેમાં તેમાં વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. તો યુનિફોર્મ સિવિલ કોડને કેબિનેટ મંજૂરી આપી છે અને એક કમિટીની રચના કરી છે. હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજની વડપણમાં કોડનો મુસદ્દો તૈયાર કરશે. ત્યારે અંગેની માહિતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

 

ભાજપ દ્વારા શું કહેવામાં આવ્યું?
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે એકસમાન નાગરિક સંહિતાને લાગૂ કરવા એક કમિટીનું ગઠન કરવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટીની સમાન નાગરિક સહિતાની સંકલ્પના શ્યામપ્રસાદ મુખરજી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને અટલ બિહારી બાજપેઈ દ્વારા કરવામાં આવેલી જેની પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

યુનિફોર્મ સિવિલ કોડ અંગે શું કહ્યું?
*
ભારતીય જનતા પાર્ટી સ્થાપના સમયના મુદ્દારામમંદિર, 370, યુનિફોર્મ સિવિલ કોડ (સમાન સિવિલ કોડ)
*
ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. અલગ ધર્મ, જાતિ અને સંપ્રદાય ધરાવતા લોકો વસે છે. જેમાં, ફોજદારી (ક્રિમીનલ કોડ)નાં ગુના માટે ધર્મ, જાતિ, સંપ્રદાય, સંસ્કૃતિને ધ્યાનમાં લીધા વગર સમાન પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
*
જ્યારે સિવિલ કાયદા (સિવિલ કોડ) માટે લગ્ન, વારસાઈ, ઉત્તરાધિકાર, દત્તક, છૂટાછેડા, જમીન, મકાન વારસાઈ ભાગ બટાઈ, દહેજ, વકફ, વાલીપણું, ભેટ, દાન અને કૌટુંબિક ફંડ (HUF) જેવી બાબતો માટે ધર્મ, જાતિ, સંપ્રદાય, સંસ્કૃતિ માન્યતા અનુસાર અલગ અલગ કાયદા છે.
*
કાયદાઓમાં ધાર્મિક માન્યતા આધારિત હોવાથી સિવિલ કેસોમાં બંધારણીય જોગવાઈને અનુરૂપ રહી અને કોર્ટ દ્વારા તેના નિર્ણયો કરવામાં આવતા હોય છે.ભારતનાં બંધારણનાં પ્રકરણ-4ની કલમ 44ની જોગવાઈ મુજબ દરેક રાજ્ય તેના સુશાસન માટે નાગરિકો માટે કોમન સિવિલ યુનિફોર્મ રાજ્ય સરકાર પોતાના રાજ્યમાં અમલીકરણ કરી શકે છે.
*
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાતમાં અમલીકરણ માટે હાઈપાવર કમિટીની રચના થશે અને ભારતીય જનતા પાર્ટીની નવી સરકારનું ગઠન થતાં કાયદાનું ગુજરાતમાં અમલીકરણ કરવામાં આવશે.

યુનિફોર્મ સિવિલ કોડના ફાયદા ગણાવ્યા

જ્ઞાતિ, જાતિ, ધર્મ આધારિત કાયદાની વિસંગતતા દૂર થશે

સામાજિક સદભાવના વધશે

મહિલાઓને લગતા કાયદા ધાર્મિક રીતે સમાન થવાથી અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રક્ષણ માટે કાયદો મદદરૂપ સાબિત થશે.

જમીન, સંપત્તિ, વારસાઈ, દાન, લગ્ન, છૂટાછેડા તમામ જગ્યાએ ધર્મ આધારિતનાં બદલે માનવતા અને ન્યાય આધારિત નિર્ણયો સામાજિક સમરસતા અને સમાનતા લાવશે.

 

વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને રીઝવવા નિર્ણય
રાજ્ય સરકારે રૂ. 630 કરોડનું પેકેજ જાહેર કરીને ખેડૂત મતોનો પાક લણવાનો પ્રયાસ કર્યો છે. અતિવૃષ્ટીના કારણે અનેક વિસ્તારના ખેડૂતોનો પાક નાશ થઇ ચૂક્યો તેને મહિનાઓ વીતી ચૂક્યા છે, ચોમાસાની ઋતુ પણ પૂર્ણ થઇ ચૂકી છે, સહાય માગ કરતા પણ ખેડૂતો થાક્યા હતા. ત્યારે છેલ્લે છેલ્લે ખેડૂતોને રીઝવવા માટે સરકારે સહાય પેકેજ જાહેર કરી દીધું છે. 'ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 લાખથી વધુ ખેડૂતોને આકર્ષવા માટે જાહેરાત કરી દીધી છે. જોકે જુલાઈમાં કૃષિમંત્રીએ આશ્વાસન રૂપે સહાય આપશે તેવું જણાવ્યું હતું.

 

PM મોદી 30 ઓક્ટોબરથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરે વડોદરા એરપોર્ટ પર આવશે. જ્યાં લેપ્રસી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં તેઓ આઈએએફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાત મુહૂર્ત કરશે. પ્રવાસ દરમિયાન તેઓ આઈએએફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાત મુહૂર્ત કરશે. ત્યારબાદ તેઓ કેવડિયા જશે અને સર્કિટ હાઉસ કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય એક્તા દિવસ પર 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જશે જ્યાં પુષ્પાંજલિ કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે. તેઓ રાષ્ટ્રીય એક્તા દિવસ પરેડ સાથે જોડાશે. વડોદરાથી તેઓ અમદાવાદ એરપોર્ટ આવવા રવાના થશે અને ત્યાંથી તેઓ થરાદ પહોંચશે.અહીં તેઓ વિવિધ વિકાસ કાર્યાના ખાતૂહૂર્તમાં ભાગ લેશે, ત્યારબાદ તેઓ ગાંધીનગર આવશે. બાદ વડાપ્રધાન મોદી હેલિકોપ્ટરમાં રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલી માનગઢ હિલની મુલાકાત રહેશે.

Download Our B K News Today App



Related News