પાલનપુરના સ્કૂલ વાન ચાલકોએ આરટીઓ દ્વારા થતી હેરાનગતી વિરુદ્ધ બાંયો ચઢાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-24 11:14:05
  • Views : 398
  • Modified Date : 2019-06-24 11:14:05

પાલનપુરમાં સ્કૂલવાનના ચાલકોને આરટીઓ દ્વારા યેનકેન રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ મુશ્કેલીઓના નિવારણ માટે રવિવારે વાન ચાલકોએ એક બેઠક યોજી હતી. જેમાં પાંચ ચાલકોની કમિટિ બનાવી તંત્ર સમક્ષ રજૂઆત કરવા સહિતના નિર્ણયો કરવામાં આવ્યા હતા.
પાલનપુરના સ્કૂલ વાન ચાલકોએ આરટીઓ દ્વારા થતી હેરાનગતી વિરુદ્ધ બાંયો ચઢાવી છે. જેમણે ચાલકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે રવિવારે પાલનપુર ખાતે એક બેઠક યોજી હતી. જેમાં પરમીટ માટે થતું દબાણ, મેક્ષી અને ટેક્ષી પરમીટમાં પોલીસ - આરટીઓ દ્વારા રાહત થાય, ગાડીના કાયદેસર રજિસ્ટ્રેશન માટે એક વર્ષની મુદત, ખીચોખીચ બાળકો ભરીને દોડતી સ્કૂલની બસો, મુસાફરો ભરીને દોડતાં ખાનગી વાહનો સામે કાર્યવાહી સહિતના પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓની તંત્ર સમક્ષ રજૂઆત કરવા પાંચ સ્કૂલવાન ચાલકોની કમિટિ બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

Download Our B K News Today App



Related News