કપડવંજની નર્મદા કેનાલમાંથી પ્રેમી યુગલના મૃતદેહ મળ્યા, મૃત્યુનું કારણ અકબંધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-18 16:24:40
  • Views : 83
  • Modified Date : 2023-10-18 16:24:40

ખેડા જિલ્લાના કપડવંજની એક કેનાલમાં પ્રેમી યુગલના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ પ્રેમી યુગલ ખેડા જિલ્લાનું જ રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. જો કે તેમના મૃત્યુ થવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. પોલીસ દ્વારા કારણ જાણવા માટે વધુ તપાસ શરુ કરવામાં આવી છે.ખેડા જિલ્લાના કપડવંજની નર્મદા કેનાલમાંથી પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા છે. ફતિયાબાદ પાસેથી પસાર થતી કેનાલમાંથી આ બંનેના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકો મહુધાના રૂપપુરા ગામના હોવાની માહિતી મળી છે. આ યુગલે ક્યા કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું તે હજુ સામે આવ્યુ નથી. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News