પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની મૂર્તિનું વેચાણ વધતા માટીની મૂર્તિ બનાવતા ૫૦ કારીગરો બન્યા બેરોજગાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-31 11:26:58
  • Views : 452
  • Modified Date : 2019-08-31 11:26:58

ટેકનોલોજી વરદાન છે
પરંતુ કેટલાંક લોકો માટે તો આ ટેક્નોલોજી જ અભિશાપ સાબિત થઈ છે. માટીની મૂર્તિ બનાવતા કારીગરો માટે પ્લાસ્ટર ઓફ પેરિસની શોધે તેમણે બેરોજગાર બનાવી દીધા છે.
એક સમય હતો કે જ્યારે ડીસામાં આ કુંભાર પરિવારોની જાહોજલાલી હતી. માટીની મૂર્તિને તરાસીને સુંદર રૂપ
આપનારા આ પરિવારો એક સમયે દશામાંની મૂર્તિથી માંડીને ગણેશજીની માટીમાથી નયનરમ્ય મૂર્તિઓ બનાવતા હતા.  પરંતુ ટેક્નોલોજીના આવિષ્કાર બાદ પ્લાસ્ટર ઓફ પેરિસની શોધ થતાં તેનું ચલણ વધવા માંડ્‌યુ હતું.  શરૂઆતમાં પ્લાસ્ટર ઓફ પેરિસનો
ઉપયોગ મકાનોમાં થતો હતો અને હવે તેનો વ્યાપ વધીને મૂર્તિઓમાં થવા માંડયો છે. મૂર્તિઓમાં પ્લાસ્ટર પેરિસનો ઉપયોગ થવાના લીધે માટીની મૂર્તિ બનાવતા કારીગરો દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓની માંગમાં ઘટાડો થવા માંડયો હતો. અત્યારે
પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે માટીના કારીગરો બેરોજગાર બની ગયા છે. એક સમયે તહેવારોમાં લોકો માટીની મૂર્તિ માટે બુકિંગ કરાવતા હતા તે કારીગરોને અત્યારે માટીની મૂર્તિનું વેચાણ કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો
પડી રહ્યો છે.  પ્લાસ્ટર ઓફ
પેરિસ પર્યાવરણ માટે પણ ખુબ જ હાનિકારક હોય છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિના વિસર્જનથી પાણીમાં પ્રદૂષણ થવા ઉપરાંત જળચર જીવો માટે ઘાતક સાબિત થાય છે. તો બીજી તરફ સરકારે પણ સ્કિલ ઈન્ડિયા પ્રોજેકટ અંતર્ગત માટીની મૂર્તિ બનાવતા કારીગરો માટે તેમની ઇકો ફ્રેંડલી મૂર્તિના વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો આ પરંપરાગત ઉદ્યોગને જીવતદાન મળવા ઉપરાંત પૃથ્વી પર ફેલાઈ રહેલા પ્રદૂષણને અટકાવી શકાય.

Download Our B K News Today App



Related News