સિગારેટ ન આપતા યુવક પર હુમલો, 3 દિવસ સારવાર બાદ મોત

  • Published By :
  • Published Date : 2022-09-13 17:08:09
  • Views : 216
  • Modified Date : 2022-09-13 17:08:09

સિગારેટ ન આપતા યુવક પર જીવલેણ હુમલો. ઘટનાની વિગતો એવી છે કે, મૂળ યુપીના અયોધ્યાનો વતની અને સુરતના ઉન પાટિયા વિસ્તારમાં શેરડીના રસની લારી ચલાવતા યુવાન ચંદ્રભાન કોરી 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ લારી બંધ કરીને ચાલતા ચાલતા ઉન પાટિયાથી ભેસ્તાન તરફ પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન ભેસ્તાન પાસે આવેલા ગોલ્ડન એપાર્ટમેન્ટ પાસે બે અજાણ્યા યુવકોએ બાઈક પર આવીને તેને આંતર્યો હતો અને ચંદ્રભાન પાસે સિગારેટની માગણી કરી હતી. સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો. પરંતુ ચંદ્રભવન પાસે સિગારેટ ન હોવાથી તેણે ના પાડી હતી. જેતી ઉશ્કેરાઈ ગયેલા બંને અજાણ્યા અજાણ્યા શખ્સો ચંદ્રભાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર ચંદ્રભાન પર એવા હથિયાર વડે હુમલો કર્યો કે તેના આંતરડા પણ બહાર આવી ગયા હતા. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં 3 દિવસની સારવાર બાદ આખરે તે જિંદગી સામેની જંગ હારી ગયો. સુરતમાં વધી રહ્યો છે ક્રાઈમ રેટ. ઉલ્લેખનીય છે કે, સુરતશહેરમાં પરપ્રાંતિય વિસ્તારોમાં ક્રાઈમ રેટમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. અવારનવાર ચોરી, મારામારી તેમજ હત્યાના બનાવો સામે આવતા હોય છે. તાજેતરમાં વડોદરામાં પણ એક વિધર્મી યુવકે પૂર્વ પ્રેમિકાના સાસુની ઘરમાં ઘૂસીને ઘાતકી હત્યા કરી હોવાનો બનાવ પણ પ્રકાશમાં આવ્યો છે. જેમાં પોલીસે હત્યાના બે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીક્ન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. હવે બંનેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ હાથ ધરાશે.

Download Our B K News Today App



Related News