જેથીના સુરદાસને જેથી પંચાયતના તલાટીએ એન્ટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-05 12:39:25
  • Views : 422
  • Modified Date : 2019-08-05 12:39:25

અમીરગઢ તાલુકાના જેથી ગામના રહેવાસી મફાભાઈ આયદાનભાઈ રબારી (ધોધાળ) સુરદાસ તા.૧૮-૭-૧૯ ના રોજ સરકારના નીતિ નિયમ મુજબ આવાસ યોજના હેઠળની સહાય મળવા પાત્ર છે. પરંતુ તે સહાય જેથી ગ્રામ પંચાયતના તલાટી તથા ગ્રામ સેવક જાણી જાઈને અરજદારને આપતા ના હોઈ તા.રપ-૭-૧૯ ના રોજ અરજદારને અમીરગઢ તાલુકા પંચાયતમાં બોલાવીને જેથી પંચાયતના તલાટી તથા ગ્રામ સેવકે ધમકી ઓપેલ કે તે અમારા વિરૂધ્ધ આપેલ અરજી પરત ખેચી લે, નહીતર તારા તથા તારા પરિવારને એન્ટ્રોસીટીની ફરિયાદ કરીને ફસાવી દેવાની જાસા ધમકી આપતા ચકચાર મચી હતી. જેના અનુસંધાને અરજદારે બન્ને વિરૂધ્ધ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ હતી.
અરજીમાં જણાવ્યા મુજબ જયેન્દ્ર પરમાર જેથી ગામના ગ્રામ સેવક છે. જે તે વખતે ગ્રામ સેવકનો હોદ્દો ધરાવતા હતા. તેઓ અમોને આવાસ યોજનાનો કેસ મંજુર કરાવવા માટે
રૂ. પ૦૦૦/- લીધેલા અને લીધેલા પ૦૦૦/- માં  જણાવેલ કે રહેણાક મકાન માટેનો ખર્ચ છે. જ્યારે પહેલો હપ્તો આવે એટલે બીજા પ૦૦૦/-
આપવાના અને તલાટી કમ મંત્રી તથા ટી.ડી.ઓ.ને સાચવવા માટે છેક સુધી ર૦૦૦૦ થી રપ૦૦૦ ખર્ચ કરવો પડશે અને સરકારની સહાય સો ટકા મળશે. તેવો ભરોસો આપેલ. ત્યારે અમો અરજદાર તથા મારા માતા-પિતા દ્વારા મને વાપરવા આપતા રૂપિયામાંથી બચત કરેલ રૂપિયા જયેન્દ્ર પરમાર ગ્રામ સેવક જેથી વાળાને જાગણી માતાના મંદિર આગળ રોકડા ખાનગીમાં આપેલ ત્યારે થોડા સમય બાદ મકાન આવાસ યોજના હેઠળ મારા અરજદારના નામનો ર૧,૦૦૦/-  હજારનો ચેક મને મળેલ. ત્યાર બાદ આજદિન સુધી બીજી કોઈ રકમ મળેલ નથી. આ બાબતે અમો અરજદાર ગ્રામ સેવક પાસે વારંવાર ઉઘરાણી કરતા અમોને ઉડાઉ જવાબ આપેલ અને કહેલ કે તારાથી થાય તે કરી નાંખજે, ત્યારબાદ અમો તા.૧૮-૭-૧૯ ના રોજ તલાટી કમ મંત્રી અને તાલુકા વિકાસ અધિકારીને અરજી કરતા મને અમીરગઢ તાલુકા પંચાયતમાં બોલાવેલ અને અમોને આ બંન્ને તલાટી તથા ગ્રામ સેવક ધમકાવવાની કોશીશ કરી અને જણાવેલ કે તે જે અરજી કરી છે તે અરજીનો જવાબ આપ કે મારાથી આ અરજી ભુલથી થયેલ છે. તેવા જવાબ લખાવી દે અને તારો અંગુઠો કરી દે.  આ બન્ને જણ મને જાસા ધમકી આપેલ કે તારા પરિવાર વિરૂધ્ધ એન્ટ્રોસીટીની ફરિયાદ દાખલ કરીશું અને તને જેલમાં પુરાવી નાખીશું. આ જાસા ધમકીના ડરથી હું ભયભીત છું,  અમો અરજદાર ઉપર કોઈ ખોટી ફરિયાદ થાય તે પહેલા મારી અરજીની તપાસ કરી / કરાવી દોષીને સજા કરવા માટે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં લેખીત ફરિયાદ કરેલ છે.  હવે જાવાનું રહ્યું કે સુરદાસને ન્યાય મળે છે કે જેસે થે...
આ તમામ મેટરની જીણવટ તપાસ કરતા જેથી ગામના એક ડોસીમાં પણ પોતાનો બળાપો આ તલાટી કમ મંત્રી ઉપર કાઢતા જાણવા મળ્યું કે જેથી નામની રહેવાસી ધર્મીબેન મનાધાઈ સોલંકી ઉ.વ.૬૦ જે પંચાયતમાં
સાફ-સફાઈનું કામ કરે છે. અને વર્ષોથી કામ કરે છે. પગાર લેવા માટે તલાટી પાસે ગયા ત્યારે આ માથાભારે તલાટીએ આ ૬૦ વર્ષની માજીને પણ એલફેલ બોલેલા અને માજી પર હાથ ઉપાડેલો. ગ્રામજનો વચમાં પડતાં પોલીસ ફરિયાદ થઈ ન હતી.

Download Our B K News Today App



Related News