અંબાજીમાં દુર્ગાષ્ટમીએ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા, 52 ગજની ધજા ચડાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-06 16:22:24
  • Views : 419
  • Modified Date : 2019-10-06 16:22:24

નવરાત્રિમાં આઠમના દિવસે મા અંબાના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરે દર્શન માટે ઉમટ્યા હતા. જ્યારે ભક્તો 52 ગજની ધજા લઈને પણ મંદિરે પહોંચ્યા હતા અને ઘજા ચડાવી હતી. આ આઠમ વર્ષ દરમિયાનની સૌથી માટી આઠમ માનતી હોવાથી શ્રદ્ધાળુઓ શક્તિપીઠના દર્શને મોટી સંખ્યામાં ઉમટે છે.રાજવી પરિવાર પણ દર્શને આવ્યો. ભક્તો આઠમે નત્ મસ્તક થઈ માતાજીના આશીર્વાદ મેળવતા હોય છે. જેને લઈ દાંતા સ્ટેટ વખતના રાજવી પરિવાર અને મહારાણા મહીપેન્દ્રસિહજી પણ તબિયત નાદુરસ્ત હોવા છતા આજે અંબાજી મંદિરે દર્સન માટે પહોચી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારે ભટ્ટજી મહારાજ પણ આજની પૂજા દરમિયાન વિશ્વ કલ્યાણ માટે આશીર્વાદ મેળવતા હોય છે .

Download Our B K News Today App



Related News