અકસ્માત બાદ હાઈવે પર 3 કિલોમીટર લાંબો જામ થઈ ગયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-12-21 19:16:25
  • Views : 108
  • Modified Date : 2024-12-21 19:16:25

કર્ણાટકની રાજધાની બેંગલુરુના વિસ્તારમાં એક ભયાનક અકસ્માતનો મામલો સામે આવ્યો છે. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. એક ન્યુઝ એજન્સીના અહેવાલ મુજબ, બેંગલુરુ રૂરલ એસપીએ અકસ્માતની પુષ્ટિ કરી છે. આ અકસ્માત નેલમંગલાના ટી બેગુર પાસે નેશનલ હાઈવે પર થયો હતો. હાઇવે પર જતી કાર અને બાઇક પર કન્ટેનર પલટી ગયું હતું. જેમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.


અકસ્માત બાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને નુકસાન પામેલા વાહનોને હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પોલીસ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. તેમની ઓળખ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


અકસ્માત બાદ બેંગલુરુ પોલીસે સોશિયલ મીડિયા પર નવી ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી છે. પોલીસે લખ્યું છે કે બેંગલુરુ નજીક નેલમંગલામાં એક કાર અને બાઇક પર એક કન્ટેનર પલટી ગયું. જેને કારણે અહીં ટ્રાફિક ખૂબ જ સ્લો ચાલે છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાર અને બાઇકને ખરાબ રીતે નુકસાન થયું છે. એસયુવીમાં બે બાળકો પણ મુસાફરી કરી રહ્યા હતા.


અકસ્માત બાદ હાઈવે પર 3 કિલોમીટર લાંબો જામ થઈ ગયો હતો. પોલીસે કન્ટેનરને હટાવવા અને મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પોલીસે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને હાઈવે પર નિર્ધારિત ઝડપે વાહન ચલાવવાની અપીલ કરી છે. ટ્રક અને કાર બંને બેંગલુરુથી તુમાકુરુ તરફ જઈ રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના શનિવારે સવારે 11 વાગે થઈ હતી.

Download Our B K News Today App



Related News