ગોસળ ગામ પાસે કાર અને આઇશર વચ્ચે અકસ્માત, બાળકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-15 19:50:14
  • Views : 47
  • Modified Date : 2025-05-15 19:50:14

સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર કાર અને આઇશર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારમાં સવાર બે વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય બે લોકો અને આઇશરના ચાલકને ઇજાઓ પહોંચી હતી. જોડિયા તાલુકાના ખીરી ગામના રહેવાસી અને નેવીના નિવૃત જવાન પત્ની અને પુત્ર સાથે અમદાવાદ જઇ રહ્યો હતો ત્યારે અકસ્માત નડયો હતો.

જામનગરના જોડિયા તાલુકાના ખીરી ગામના રહેવાસી અને નેવીના નિવૃત જવાન સહદેવસિંહ મંગળસિંહ જાડેજા પત્ની રશ્મીબા સહદેવસિંહ જાડેજા તથા બે વર્ષના પુત્ર કૃષ્ણરાજ સહદેવસિંહ જાડેજા સાથે કારમાં અમદાવદ પોતાના સગાને ત્યાં જઇ રહ્યાં હતા. ત્યારે સાયલા તાલુકાના ગોસળ ગામ પાસે સહદેવસિંહ જાડેજાએ કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ડીવાઈડર કૂદીને સામે આવી રહેલી આઇશર સાથે કાર અથડાઈ હતી.  આ ગોઝારા અક્સ્માતમાં બે વર્ષના કૃષ્ણરાજ સહદેવસિંહ જાડેજાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અને ચાલક સહદેવસિંહ મંગળસિંહ જાડેજા, તેમના પત્ની રશ્મીબા સહદેવસિંહ જાડેજા તેમજ આઇશર ચાલક હરદિપસિંગ અમર દીપસીંગને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં કારનો રીતસરનો બુકડો બોલી ગયો હતો.

Download Our B K News Today App



Related News