સાબરમતી નદીના પ્રદૂષણને અટકાવવા લેવાયો મોટો નિર્ણય, 778 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-01 14:42:16
  • Views : 53
  • Modified Date : 2024-03-01 14:42:16

અમદાવાદની સાબરમતી નદી હવે વધુ પ્રદૂષિત નહીં થાય. અમદાવાદ મનપાએ સાબરમતી નદીના પ્રદૂષણને અટકાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 778 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે.વર્લ્ડ બેંકે આપેલા ફંડમાંથી અમદાવાદની સાબરમતી નદીને પ્રદૂષણ મુક્ત બનાવવા આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. વાસણા ખાતે 375 MLGની ક્ષમતાનો પ્લાન્ટ આકાર લેશે. સુએઝમાં ટ્રીટમેન્ટ પ્લાન્ટ માધ્યમથી ચોખું પાણી સાબરમતી નદીમાં છોડાશે. પશ્ચિમ વિસ્તારમાં આવતું પાણી ટ્રીટ કરીને શુધ્ધ કરવામાં આવશે. આ સુએઝ પ્લાન્ટથી સાબરમતી નદીના પ્રદૂષણની સમસ્યા ખતમ થશે. વર્લ્ડ બેંકે આ પ્રોજેક્ટ માટે AMCને 3 હજાર કરોડની સહાય કરી છે.

Download Our B K News Today App



Related News