સુરતમાં રામલલ્લાની ઝલક દર્શાવતી ભવ્ય રંગોળી બનાવવામાં આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-20 17:09:47
  • Views : 61
  • Modified Date : 2024-01-20 17:09:47

અયોધ્યામાં રામ લલ્લાનાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વને યાદગાર બનાવવા સુરતીઓ ભક્તિમાં લીન બન્યા છે. રામમય વાતાવરણ સર્જાયું છે. કતારગામ વસ્તાદેવડી રોડ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે મોટાં મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામલલ્લાની ઝલક દર્શાવતી ભવ્ય રંગોળી બનાવી હતી.રંગોળી નિર્માણમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્સટાઇલ રાજયમંત્રી દર્શનાબેન જરદોશ પણ જોડાયા હતા. સુરતની કલાર્પણ આર્ટ ગ્રુપની 40 બહેનો દ્વારા શ્રીરામની ઝળકના દર્શન કરાવતી રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળી કુલ 11111 ચોરસ ફૂટના વિસ્તારમાં તૈયાર કરાઈ છે. આકર્ષક એવી આ રંગોળીમાં અંદાજિત 1400 કિલોથી વધુ વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ ભવ્ય રંગોળીના કાર્યક્રમ અંગે યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ માટે નોંધણી પણ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News