લુવાણા ગામ ની સોટા ની રળાવુ ગાયો ને એક ટોલી લીલા રજકા બાજરી દાન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-27 11:10:42
  • Views : 237
  • Modified Date : 2022-05-27 11:10:42


થરાદ તાલુકાના લુવાણા કળશ   ગામના વતની એવા કરવડ અનાભાઈ ગણેશાજી પરબતભાઈ ગણેશજી તરફથી એકાદશી ના પાવન દિવસે લુવાણા ગામ ની સોટા ની રળાવુ ગાયો ને એક ટોલી લીલા રજકા બાજરી દાન કરવામાં આવ્યું  અને પાછલા કેટલા વર્ષોથી લુવાણા કળશ ગામમાં સોટા ની રળાવુ ગાયો ની સેવા કરવામાં આવે છે અને કરવડ ગણેશ ધરમાજી ગઈ સાલ પણ એક ટોલી રજકા બાજરી નું દાન કર્યો હતો અને સાલ પણ એકાદશી ના પાવન દિવસે ફરીથી એક ટોલી રજકા બાજરી નું દાન કરવામાં આવ્યુ અને લુવાણા કળશ ગામ ના ગ્રામજનો પોતાનો અમૂલ્ય સમય કાઢી  ગાયોની સેવા કરી રહ્યા છે ગ્રામજનોને ગાયો પ્રત્યે લાગણી અને પ્રેમ હોઈ કોઈપણ સમયે ગાયોની સેવા કરવા માટે ગામના દરેક સમાજના યુવાનો ગાયોની સેવા કરતા હોય છે અને ભાગીરથ કાર્યમાં ગ્રામજનો સાથ સહકાર અને સહયોગ આપી રહ્યા છે અને ખાસ કરીને લુવાણા કળશ ગામના વતની અને હનુમાનજી ઉપાસક અને ગૌભક્ત એવા શ્રી નરસી એચ દવે અને તેમના સાથી મિત્રો વિષ્ણુભાઈ દવે અને વાલજીભાઈ  નાઈ અને નેનમલ ભાઈ શાહ અને અન્ય મિત્ર દ્વારા ગાયો માટે સતત દરરોજ સેવા કરતા હોય છે અને ભગીરથ કાર્યમાં લુવાણા કળશ ગામ ગ્રામજનો સાથ સહકાર અને સહયોગ આપી રહ્યા છે

Download Our B K News Today App



Related News