દાનહમાં ચાર વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, લાશના ટુકડા-ટુકડા કરી ટોઇલેટની બારીમાંથી ફેંકી દીધા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 11:07:10
  • Views : 290
  • Modified Date : 2021-03-13 11:07:10

    દાનહના નરોલીમાં શુક્રવારે બપોરે 4 વર્ષની બાળકી પર કથિત દુષ્કર્મની આશંકા સાથે પાડોશી ઇસમે તેના શરીરના ટુકડા ટુકડા કરી ફેંકી દેવાની ઘટનાથી અરેરાટી ફેલાઇ જવા પામી હતી. દાનહ પોલીસે 40 ફ્લેટમાં ચકાસણી બાદ એક ફ્લેટના ટોઇલેટની બારીનો કાંચ તૂટેલો દેખાતાં એ ફ્લેટમાં રહેતા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં બાળકી બપોરે ગુમ થયા બાદ રાત્રે તેની લાશ મળી આવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

    દાનહના સેલવાસ ખાતે નરોલીની એક સોસાયટીમાં રહેતા પરિવારની 4 વર્ષીય દીકરી શુક્રવારે બપોરે ગ્રાઉન્ડ ફ્લોર પર અન્ય બાળકો સાથે રમી રહી હતી. એ દરમિયાન તે બિલ્ડિંગ નીચેથી અચાનક ગુમ થઇ જતાં તેનાં પરિવારજનો ચિંતામાં ગરકાવ થયાં હતાં. ચારેય તરફ બાળકીની શોધખોળ શરૂ કરાઇ હતી. બાળકીનો કોઇ જગ્યાએ પત્તો ન લાગતાં આખરે ચિંતાતુર બનેલા પરિવારે નરોલી પોલીસ મથકમાં જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સાથે દાનહ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સૌપ્રથમ બાળકીના ઘરની આસપાસ તપાસ હાથ ધરી હતી.

    ત્યારે બિલ્ડિંગના ટોઇલેટની પાઇપલાઇન પાસે શંકાસ્પદ થેલો દેખાતાં તેને ઉતારી અંદર ચકાસણી કરતાં ગુમ બાળકીના લાશના ટુકડા મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં પહેલા માળે આવેલા એક ફ્લેટના ટોઇલેટની બારીનો કાંચ તૂટેલી હાલતમાં દેખાતાં એ ફ્લેટની અંદર સૂતેલી હાલતમાં એક ઇસમ મળી આવ્યો હતો. પોલીસે રૂમની અંદર જોતાં ઠેરઠેર લોહી વિખેરાયેલું જોવા મળ્યું હતું, જેથી કથિત આરોપી સંતોષ રજતની ધરપકડ કરી વધુ પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સોસાયટીની એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ ઇસમ અગાઉ પણ અનેક વાર લોકો સાથે છેડતી કરતા લોકોએ તેને મેથીપાક પણ ચખાડ્યો છે. તેણે જ બાળકીને રમતી વખતે ગ્રાઉન્ડ ફ્લોરથી ઊંચકી લઈ જઇ પોતાના ફ્લેટમાં કથિત દુષ્કર્મ ગુજારતાં મોત થઇ ગયા બાદ લાશના ટુકડા ટુકડા કરી ટોઇલેટની બારીમાંથી ફેંકી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

    ઘટનાની જાણ દાદરાનગર હવેલીના પોલીસ વિભાગને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળ ઉપર એપાર્ટમેન્ટમાં આવેલા તમામ ફ્લેટ ચેક કરતાં કરતાં બાળકી મળી નહોતી. પોલીસે 109 નંબરના ફ્લેટમાં રહેતા યુવકની પોલીસે કડકાઇથી પૂછપરછ કરતાં બાળકી એની પાસે ન હોવાનું જણાવ્યું હતું.

    લાશને થેલામાં ભરી સગેવગે કરવાનો પ્રયાસ કર્યો, જોકે આરોપીએ પોતાના ફ્લેટના બાથરૂમની બારીમાંથી બાળકીની લાશને થેલામાં ભરી ડોકયાર્ડમાં ફેંકવાનો પ્રયાસ કરતો હતો. એ દરમિયાન સ્થાનિક લોકોએ તેને જોઈ લીધો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે આરોપી સંતોષની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.માસૂમ બાળકી સાથે હેવાનિયત જેવું કૃત્ય કરી તેની હત્યા કરી નાખતાં પિતા સહિત સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. આઘાતમાં આવેલા પિતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને પગલે પરિવારજનો તથા બિલ્ડિંગના રહીશોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો અને આરોપીને અમને સોંપી દો, અમે જ ન્યાય કરીશું એવું જણાવી રહ્યા હતા. લોકોનો આક્રોશ જોઈ પોલીસે આરોપીને લઈ તરત પોલીસ મથકે જવા રવાના થઈ હતી.

    નરાધમ સંતોષે અગાઉ પણ સોસાયટીમાં બાળકીઓ સાથે છેડતી કર્યા હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યું છે. જ્યારે જે-તે સમયે લોકોએ તેને મેથીપાક પણ ચખાડ્યો હતો. વિકૃત માનસિકતા ધરાવતા આ ઇસમને પહેલા જ સોસાયટીથી બહાર કરી દેવામાં આવત તો આજે માસૂમ બાળકી ભોગ બનતાં બચી જાત. આ કિસ્સો દરેક સોસાયટી અને ચાલીના રહીશો માટે લાલબત્તી સમાન છે.

    સાડાત્રણ વર્ષની બાળકી સાથે કથિત દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી શરીરના ટુકડા કરીને ટોઇલેટની બારીથી ફેંકી દીધા બાદ નરાધમ ફ્લેટમાં જ સૂતેલો હતો. સોસાયટીના તમામ ફ્લેટધારકોની સાથે આરોપીની પણ પૂછપરછ હાથ ધરાઇ હતી. ત્યારે તેણે અજાણ બની બાળકી અંગે કંઈ પણ ખબર નથી એમ જણાવ્યું હતું.માસૂમ બાળકી બપોરે ઘર પાસે રમતી હતી ત્યારે નરાધમ તેને ઊંચકીને પોતાના ફ્લેટમાં લઇ ગયો હતો, જ્યાં તેણે હેવાનિયતની હદ વટાવી હતી. બાળકીની હત્યા બાદ તેના શરીરના ટુકડા કરી થેલામાં ભરીને ફેંકી દેતાં સ્થાનિકોમાં આક્રોશ ભભૂકી ઊઠ્યો હતો.

    સેલવાસના નરોલી વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા અંગેની જાણ મોડી સાંજે પ્રદેશના લોકો સુધી સોશિયલ મીડિયાની માધ્યમથી થઈ હતી. ઘટનાને પગલે લોકોમાં આરોપી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આરોપી નરોલીની એક કંપનીમાં નોકરી કરે છે.


Download Our B K News Today App



Related News