પશ્ચિમ બંગાળમાં અમ્ફાન તોફાનમાં ૭૨ લોકોના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-22 15:55:20
  • Views : 499
  • Modified Date : 2020-05-22 15:55:20

પશ્ચિમ બંગાળમાં અમ્ફાન તોફાનમાં ૭૨ લોકોના મોત

ચક્રવાત અમ્ફાન પશ્ચિમ બંગાળમાં વિનાશ સર્જ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં ૭૨ લોકોનાં મોત નીપજ્યાં છે. મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે આટલી ભયાનક વિનાશ કદી જોઇ નથી. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પશ્ચિમ બંગાળ આવીને વિનાશનું દ્રશ્ય પોતાની આંખોથી જોવાની અપીલ કરી છે. અમ્ફાન વાવાઝોડાને કારણે રાજ્યના હજારો મકાનોને નુકસાન પહોંચ્યું છે. આશરે છ લાખ લોકોને ઘરમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. અમ્ફાન વિશે પ્રેસ કોન્ફરન્સમાં બોલતા મમતા બેનર્જીએ કહ્યું, ‘પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી ૭૨ લોકોનાં મોત નીપજ્યાં છે. આજદિન સુધી મેં આવી વિનાશ જોઇ નથી. હું વડા પ્રધાનને બંગાળ આવીને પરિસ્થિતિ જોવાની અપીલ કરીશ. હું મરી ગયેલા લોકોના પરિવારને ૨.૫ લાખ વળતરની જાહેરાત કરું છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ અમ્ફાનથી પ્રભાવિત રાજ્યો પર નજર રાખી રહ્યા છે. તેમણે ટિ્‌વટ કરીને કહ્યું, ‘હું અમ્ફાનને કારણે પશ્ચિમ બંગાળમાં સર્જાયેલી વિનાશના દ્રશ્યો જોઈ રહ્યો છું. આ ખૂબ જ મુશ્કેલ સમય છે, આ સમયે આખો દેશ પશ્ચિમ બંગાળની સાથે છે. અમે રાજ્યની જનતાની સુખાકારીની ઇચ્છા રાખીએ છીએ. પરિસ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો ચાલુ છે. ગૃહમંત્રી અમિત શાહે ઓડિશાના સીએમ નવીન પટનાયક અને બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે અમ્ફાનના સંદર્ભમાં ફોન પર વાત કરી છે. તેમણે ટિ્‌વટ કર્યું, ‘મેં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક જી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જી સાથે ચક્રવાતથી સર્જાયેલી પરિસ્થિતિ વિશે વાત કરી હતી અને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. અમે ચક્રવાત અમ્ફાન પર નજર રાખી રહ્યા છીએ અને સંબંધિત અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીએ છીએ. ગૃહમંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર દરેક નાગરિકની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. અમિત શાહે કહ્યું, ‘હું પશ્ચિમ બંગાળ અને ઓડિશાના લોકોને ઘરની અંદર રહેવા અને તમામ સૂચનાઓનું પાલન કરવા અપીલ કરું છું. હું બધાની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરું છું. ‘ આ ચક્રવાતથી પશ્ચિમ બંગાળમાં ૧૨ લોકો માર્યા ગયા છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન પહોંચ્યું છે. વરસાદ અને જોરદાર પવનને કારણે ઓડિશામાં પાક, ઝાડ અને માળખાગત સુવિધાને નુકસાન થયું છે. ભારે વરસાદ અને ૧૯૦ કિ.મી. પ્રતિ કલાકની પવન સાથે અફફાન બુધવારે બપોરે ૨.૩૦ વાગ્યે પશ્ચિમ બંગાળના દિખા કાંઠે પહોંચ્યો હતો. આ પછી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને તોફાન આવ્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મંગળવારે રાત્રે રાજ્ય સચિવાલયમાંથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે ‘અમ્ફાન’ની અસર પણ કોરોના વાયરસથી તીવ્ર છે. કોલકાતામાં ૧૨૫ કિ.મી. પ્રતિ કલાકની પવન કારો પલટી ગઈ.


Download Our B K News Today App



Related News