બનાસકાંઠામાં પ૧ કોરોના પોઝિટિવ કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-24 11:49:16
  • Views : 917
  • Modified Date : 2020-11-24 11:49:16

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૧ર દિવસથી કોરોના સંક્રમિત દર્દીઓનો વધારો થઈ રહ્યો છે. ત્યારે સોમવારે વધુ પ૧ કોરોનાના દર્દીઓ નોંધાયા છે. જ્યારે જાણિતા ઉદ્યોગપતિ ચંદ્વવદન પાધ્યાનું કોરોનાથી નિધન થયું હતું. આ દરમિયાન સોમવારથી પાલનપુરના મોરીયા ખાતે બનાસ મેડીકલ કોલેજ ખાતે આરટીપીસીઆર લેબ ટેસ્ટીંગ શરૂ થઈ ગયું છે.
બનાસકાંંઠા જિલ્લામાં દિપાવલીના તહેવારોમાં બજારોમાં ઉમટેલી ભીડ અને ફટાકડાના પ્રદૂષણને કારણે ત્યારપછીના દિવસોમાં કોરોના સંક્રમણમાં ખાસ્સો એવો વધારો થયો છે. જેમાં સોમવારે આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાંં વધુ કુલ પ૧ કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. એન્ટીજન સેમ્પલ ૧ર૭૦ લેવાયા હતા. જેમાં ડીસામાં સૌથી વધુ ૧૮, પાલનપુરમાં ૬, વડગામ ર, લાખણી ૧, ધાનેરા ૩, કાંકરેજ ૬, દિયોદર ૧, થરાદ ૭, ભાભર ર અને સૂઈગામમાં ૧ જ્યારે આર.ટી.પી.આરના પ૩ સેમ્પલ લેવાતા ૮ મળીને કુલ ૧૩ર૩ સેમ્પલ લેવાતાં જિલ્લામાં પ૧ કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. દરમિયાન સોમવારે કોરોનામાં સપડાયેલા જાણિતા ઉદ્યોગપતિ ચંદ્રવદન પાધ્યાનું નિધન થયું હતું. આમ કોરોના તેમના માટે ઘાતક નિવડ્યો હતો.


મોરીયામાં આરટીપીસીઆર ટેસ્ટીંગ લેબ શરૂ
બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસ માટે જરૂરી સેમ્પલના ટેસ્ટીંગ માટે બનાસ મેડીકલ કોલેજ મોરીયા ખાતે આરટીપીસીઆર ટેસ્ટીંગ લેબ શરૂ થઈ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મનીષ ફેન્સીએ જણાવ્યું છે. જેથી હવે કોરોનાના દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટીંગની કામગીરી ઝડપી બનશે.

Download Our B K News Today App



Related News