લંડનથી દિલ્હી પરત ફરેલી ફ્લાઇટમાં 7 પોઝિટિવ મળ્યા, નવા સ્ટ્રેનની ઓળખ કરવા માટે સેમ્પલને રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 14:04:01
  • Views : 450
  • Modified Date : 2020-12-22 14:04:01

    લંડનમાં કોરોના વાઈરસનું નવું સ્ટ્રેન મળવાથી નવો ભય ઊભો થયો છે. બીજી તરફ, દિલ્હીથી પરત ફરી રહેલી એક ફ્લાઈટમાં બેઠેલા 266 લોકોમાંથી 7નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનાં સેમ્પલ રિસર્ચ માટે નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ(NCDC)માં મોકલી આપવામાં આવ્યાં છે. તમામ પેસેન્જર્સ અને ક્રૂ-મેમ્બર્સને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં કોવિડ-19ના નોડલ ઓફિસરે મંગળવારે આ માહિતી ન્યૂઝ એજન્સીને આપી છે.આ દરમિયાન મુંબઈમાં પણ લંડનથી પરત ફરેલી બે ફ્લાઈટના મુસાફરોને એરપોર્ટ પરથી સીધા હોટલમાં લઈ જવામાં આવ્યા. તેમને અહીં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. કેટલાક મુસાફરોએ આ અંગે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું હતું કે તેમને આ અંગે પહેલેથી કોઈ માહિતી ન હતી. લંડનમાં તાજેતરમાં જ કોરોનાનું નવું સ્ટ્રેન(બદલાયેલું સ્વરૂપ) મળ્યું છે. એ પહેલાં કરતાં 70 ટકા વધુ સંક્રમક હોવાનું કહેવાઈ રહ્યું છે.

    બ્રિટનમાં કોરોનાનું નવું સ્ટ્રેન મળ્યા પછી મહારાષ્ટ્ર સરકારે મિડલ ઈસ્ટ અને યુરોપથી આવનારા તમામ મુસાફરોને 14 દિવસ સુધીના ઈન્સ્ટિટયુશનલ ક્વોરન્ટીનમાં રાખવાના આદેશ આપ્યા છે. 22 ડિસેમ્બરની રાતે 11.59 વાગ્યા સુધી જ બ્રિટનથી ભારત આવી શકશે મુસાફરો. એ પછી 31 ડિસેમ્બર સુધી ત્યાંથી આવનારી ફ્લાઈટ પર અચોક્કસ મુદત સુધીનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.યુરોપથી મુંબઈ આવનારા મુસાફરોને ઈન્સ્ટિટયુશનલ ક્વોરન્ટીન સેન્ટર અને હોટલ્સ સુધી પહોંચાડવા માટે 50થી વધુ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ટ્રિપ પછી બસોને પહેલા સેનિટાઈઝ કરવામાં આવી રહી છે, એ પછી જ તેમાં કોઈને બેસાડવામાં આવે છે.


Download Our B K News Today App



Related News